Guru Gochar 2025: દેવગુરુ બૃહસ્પતિને જ્ઞાનનો સાગર કહેવામાં આવે છે. ગુરુ ગ્રહને શિક્ષણ, શિક્ષકો, સંતાન, ધાર્મિક કાર્ય, પવિત્ર સ્થાન, મોટા ભાઈ, વૃદ્ધિ, દાન, પુણ્ય અને સંપત્તિ વગેરેનો કારક ગ્રહ કહેવામાં આવે છે. વૈદિક જ્યોતિષ અનુસાર દેવગુરુ બૃહસ્પતિ દેવની ચાલ બદલવાથી વ્યક્તિ પર સકારાત્મક અને નકારાત્મક અસરો થઈ શકે છે. વર્ષ 2025માં દેવગુરુ બૃહસ્પતિ ત્રણ વખત પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે. આ સમય દરમિયાન તે બુધ ગ્રહની રાશિમાં પણ પ્રવેશ કરશે, આવી સ્થિતિમાં 3 રાશિઓને ફાયદો થવાનો છે. ચાલો જાણીએ એ 3 રાશિઓ કઈ છે?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુરુ ગોચરથી 3 રાશિઓ માટે ખુશખબર!
વૃષભ રાશિ

વૃષભ રાશિ માટે ગુરુનું ગોચર લાભદાયક રહેશે. વર્ષ 2025માં ગુરુ મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જે વૃષભ રાશિના લોકોને શુભ પરિણામ આપશે. કામકાજમાં પ્રગતિ સાથે નોકરીયાત લોકોને સહકર્મીઓનો સહયોગ મળશે. તમને મોટી કમાણી કરવાની તક મળશે. જો તમે હજુ સુધી રિલેશનશિપમાં નથી તો ટૂંક સમયમાં તમારા લગ્ન થવાની શક્યતા છે. તમે ડર્યા વગર કામ કરશો અને તેમાં સફળ પણ થશો.


આ 3 રાશિયોની ચમકશે કિસ્મત, રાહુ-કેતુ કરશે રાશિ પરિવર્તન


વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિ  લોકો માટે  ગુરુનું મિથુન રાશિમાં પ્રવેશ કરવો લાભદાયક રહેશે. જીવનસાથી સાથે તમે કોઈ પ્રવાસ પર જઈ શકો છો. સહકર્મીઓનો સહયોગ મળશે અને કામમાં ઉત્તમ લાભ થશે. સફળતા તરફ તમે આગળ વધશો. કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ તેનો સામનો કરવો તમારા માટે મુશ્કેલ નહીં હોય.


તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. પરિવાર સાથે વધુ સમય વિતાવવાની જરૂર હશે, જેનાથી સંબંધ વધુ મજબૂત બનશે. કંઈક નવું શરૂ કરવાનું વિચારી શકો છો. પૈસા કમાવવા માટે તમે વધુમાં વધુ મહેનત કરવા માટે પણ તૈયાર રહેશો.


શું તમને પણ ઠંડીમાં નહાવાથી લાગે છે ડર? આ હોય શકે છે બીમારીનો સંકેત, જાણો લક્ષણો


મીન રાશિ
વર્ષ 2025માં ગુરુ ગોચરથી મીન રાશિના લોકોને લાભ થશે. તમારો આત્મવિશ્વાસમાં વધારો થશે. સફળતાની નવી તકો મળશે. ઘણા દિવસોથી અટકેલું કામ જલ્દી પૂરું થશે. સંપત્તિમાં વધારાની સાથે-સાથે વેપારમાં પણ વૃદ્ધિ થશે. જીવનસાથી સાથેના સંબંધો મિશ્રિત રહેશે. વડીલોનું સન્માન કરવાથી તમને તરક્કી અપાવવામાં મદદ કરશે.


Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.