Guru Margi 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ ગ્રહ ધન, ઐશ્વર્ય, સુખ અને સમૃદ્ધિ આપનાર ગ્રહ છે. જ્યારે પણ ગુરુ પોતાની રાશિ બદલે છે ત્યારે તેનો પ્રભાવ દરેક રાશિના જીવન પર જોવા મળે છે. આ સિવાય કુંડળીમાં દેવગુરુ ગૃહસ્પતિની સ્થિતિ અનુસાર પણ વ્યક્તિને શુભ અને અશુભ ફળ પ્રાપ્ત થાય છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ મજબૂત હોય તો વ્યક્તિને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. જો કુંડળીમાં ગુરુ ગ્રહ અશુભ પરિણામ આપે તો વ્યક્તિને જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: ભાગ્યના બંધ દરવાજા ખોલે છે શનિવારે કરેલા આ 5 ઉપાય, શનિ દેવની કૃપાથી બનશો કરોડપતિ


જીવનમાં સુખ સમૃદ્ધિ આપનાર ગુરુ ગ્રહ ડિસેમ્બર મહિનામાં મેષ રાશિમાં માર્ગી થશે. ગુરુ ગ્રહના માર્ગી થવાથી ત્રણ રાશિના લોકોને ખૂબ જ લાભ થવાનો છે. આ ત્રણ રાશિના લોકો માટે નવા વર્ષની શરૂઆત એટલે કે વર્ષ 2024 ની શરૂઆત શાનદાર રહેશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે આ ત્રણ રાશિ.


મેષ રાશિ


જ્યોતિષશાસ્ત્ર અનુસાર ગુરુ માર્ગી થવાથી મેષ રાશિના લોકોને શુભ ફળ મળશે. ગુરુ ગ્રહ આ રાશિ ના લગ્ન ભાવમાં ગોચર કરશે જેના કારણે આત્મવિશ્વાસ વધશે અને કાર્યશૈલીમાં પણ સુધારો આવશે. આ સમય દરમિયાન માન સન્માનમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં પણ અનુકૂળતા રહેશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવા લાગશે અને દાંપત્ય જીવનમાં ખુશીઓ છવાશે. નવા કામ કરવાની તક મળશે.


આ પણ વાંચો: Dhoop Upay: ગૂગળ ધૂપના આ 3 ઉપાય છે જાદૂઈ, કરવાથી દુ:ખ-દરિદ્રતાનો થઈ જશે નાશ


ધન રાશિ


ગુરુના માર્ગી થવાથી ધન રાશિના લોકોને પણ લાભ થવાનો છે. ગુરુ પાંચમા ઘરમાં ગોચર કરે છે જેના કારણે નવા વર્ષમાં સંતાન સંબંધિત શુભ સમાચાર મળી શકે છે. કારકિર્દીમાં સફળતા પ્રાપ્ત થશે અને બગડેલા કામ બનવા લાગશે. વૈવાહિક જીવનમાં ખુશીઓ આવશે અને નોકરીમાં પણ પ્રમોશન મળી શકે છે. વેપારીઓને આ સમય દરમિયાન મોટો ઓર્ડર મળી શકે છે.


આ પણ વાંચો: Tulsi upay: તુલસીની પૂજા કરવાથી દુર થશે ગૃહ ક્લેશ, આ 5 કામ કરવાથી ખુશીઓથી ભરાશે ઘર


મીન રાશિ


ગુરુના માર્ગી થવાથી મીન રાશિના લોકોને પણ લાભ થવાનો છે. આ રાશિના ધન સ્થાનમાં ગુરુ માર્ગી થશે જેના કારણે મીન રાશિના લોકોને આર્થિક લાભ થશે. વેપારમાં નવી તક મળશે અને વાણીથી લોકો પ્રભાવિત થશે. આવકમાં અચાનક વૃદ્ધિ થશે અને નોકરી મળવાની પણ સંભાવના વધશે. આ સમય દરમિયાન લવલાઇફ કે દાંપત્યજીવનમાં આવેલી સમસ્યાઓ દૂર થશે.


આ પણ વાંચો: આ 4 રાશિઓનું બદલાશે નસીબ ! વર્ષ 2024માં ગુરુનું ગોચર ખોલી દેશે કુબેરનો ખજાનો


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)