Papmochani Ekadashi 2023 Upay: હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં એકાદશી વ્રતનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. કહેવાય છે કે આ દિવસે વ્રત અને પૂજા કરવાથી ભક્તોને જીવનના દુઃખોમાંથી મુક્તિ મળે છે. ચૈત્ર મહિનામાં આવતી એકાદશીને પાપમોચિની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ વખતે પાપમોચિની એકાદશી 18 માર્ચ, શનિવારે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ દિવસે શ્રી હરિની પૂજાની સાથે સાથે ભગવાન શનિને પ્રસન્ન કરવા માટે કેટલાક જ્યોતિષીય ઉપાયો અપનાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં બેઠો હોય તો આજે એટલે કે 18 માર્ચે પાપમોચિની એકાદશીના દિવસે આ ઉપાયો કરવાથી વ્યક્તિને જલ્દી રાહત મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાપમોચની એકાદશીના દિવસે કરો આ ઉપાય:


- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવને પ્રસન્ન કરવા માટે શનિવારે વાંદરાઓને શેકેલા ચણા ખવડાવો. તેમજ કાળા કૂતરાને મીઠી રોટલી પર તેલ લગાવીને ખવડાવો.
- જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં ચાલતો હોય તો શનિવારની એકાદશીના દિવસે માંસ અને દારૂનું સેવન ન કરવું જોઈએ.
- તેની સાથે જ શનિવારે કાળો દોરો લઈને તેની માળા બનાવીને ગળામાં પહેરો લાભ થશે.
- જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પાપમોચિની એકાદશીના દિવસે શમીના છોડની પાસે લોટનો દીવો પ્રગટાવો અને આ દરમિયાન દીવામાં કપૂર અને હળદર મૂકો.


આ પણ વાંચો
કોહલીની સ્પેશિયલ ક્લબમાં જાડેજા પણ સામેલ, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું આ મોટું કારનામુ
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન વિરુદ્ધ ધરપકડ વોરંટ,ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો મોટો નિર્ણય
ત્રણ ગ્રહનો મહાસંગમ બદલી દેશે મીન સહિત આ 3 રાશિના લોકોનું નસીબ, થશે આકસ્મિક ધન લાભ


- શનિવારે સૂર્યોદય પહેલા પીપળાના ઝાડ પર કાચું દૂધ અર્પિત કરવું અને કડવા તેલનો દીવો પ્રગટાવવાથી શુભ ફળ મળે છે.
- જો કુંડળીમાં શનિની દશા નબળી હોય તો શનિની આડ અસરથી બચવા માટે શનિવારે કાળી ગાયની સેવા કરવી અને માતા ગાયને રોટલી ખવડાવવી.
- પાપમોચિની એકાદશીના દિવસે શ્રી હરિના વિશેષ મંત્રો, શનિ અને શનિ સ્તોથના મંત્રોનો પાઠ કરવાથી વિશેષ લાભ મળે છે.
- જો તમે શનિની સાડે સાતીથી પરેશાન છો તો શનિવારની એકાદશીના દિવસે અંધારું થઈ જાય પછી પીપળાના ઝાડને જળ ચઢાવો. સરસવના તેલનો દીવો પ્રગટાવો, અગરબત્તી સળગાવો અને ત્યાં બેસીને હનુમાન ચાલીસા, શનિ ચાલીસાનો પાઠ કરો. આ પછી પીપળાના ઝાડની 7 વાર પરિક્રમા કરો.
- પાપમોચિની એકાદશીના દિવસે પીપળના ઝાડના મૂળમાં દૂધ ચઢાવો. તેલનો દીવો પ્રગટાવો અને તેને પશ્ચિમ દિશામાં પ્રગટાવો.
- આ દિવસે મંત્રનો જાપ કરો- 'ઓમ શન શનૈશ્ચરાય નમઃ'. ઉપરાંત, મંત્રનો પાઠ કરતી વખતે, દરેક પરિક્રમા પર 1-1 દાણા મીઠી નુક્તી અર્પિત કરો. તમારે આ રીતે ઓછામાં ઓછી 11 પરિક્રમા કરવાની છે. આ પછી હાથ જોડીને શનિદેવની પ્રાર્થના કરો.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)


આ પણ વાંચો
Ind vs Aus 1st ODI: વાનખેડેમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતનો ભવ્ય વિજય, રાહુલે રંગ રાખ્યો
કાશ્મીરમાં 'કળા' કરી આવ્યો અમદાવાદનો 'નટવરલાલ', અનેક રાજનેતાઓને બનાવ્યા ઉલ્લું!

આગામી 5 દિવસ ગુજરાતના આ વિસ્તારો માટે છે આફતના સંકેત, આ જિલ્લાવાળા રહેજો સાવધાન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube