Ravivar Upay: રવિવારનો દિવસ સૂર્ય દેવની આરાધના માટે વિશેષ ગણાય છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યને ગ્રહોના રાજા કહેવાય છે. સૂર્યની કૃપાથી જ વ્યક્તિ જીવનમાં પ્રગતિ મેળવે છે. સાથે જ શરીર નિરોગી રહે છે. કુંડળીમાં સૂર્ય શુભ સ્થિતિમાં હોય તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સંપત્તિ બધું જ પ્રાપ્ત થાય છે. જો સૂર્ય નબળો હોય તો વ્યક્તિ બીમાર રહે છે અને આર્થિક સ્થિતિ તંગ રહે છે. આવામાં રવિવારે કેટલાક ખાસ ઉપાય કરવાથી ધનની સ્થિતિ સારી રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારના ઉપાય 


આ પણ વાંચો: Roti Ke Upay: થાળીમાં 3 રોટલી પીરસવી અશુભ, જો થાળીમાં કોઈ 3 રોટલી આપે તો શું કરવું ?


રવિવારના દિવસે સૂર્યોદય પહેલા જાગી સ્નાન કરી સ્વચ્છ કપડા પહેરવા. ત્યાર પછી સૂર્ય દેવને જળ અર્પણ કરો. સૂર્યને જળ ચઢાવતી વખતે ઓમ સૂર્યાય નમ: ઓમ વાસુદેવાય નમ: ઓમ આદિત્ય નમ: મંત્રનું ઉચ્ચારણ કરો. આ મંત્રના જાપથી સૂર્ય દેવ પ્રસન્ન થાય છે અને સુખ-સંપત્તિના આશીર્વાદ આપે છે. 


- રવિવારે ઘીનો દીવો કરવો પણ ફળદાયી છે. આ દિવસે ઘરના મુખ્ય દરવાજાની બહારની બંને તરફ ઘીનો દીવો કરવો જોઈએ. માનવામાં આવે છે કે ઘીનો દીવો કરવાથી સૂર્ય સાથે માં લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. જેમના ઘરમાં ધન આવે પણ ટકતું ન હોય તેમણે આ ઉપાય ખાસ કરવો.


આ પણ વાંચો: 23 એપ્રિલથી 6 રાશિના લોકો કરશે જલસા, મંગળનું રાશિ પરિવર્તન થતા ચારેતરફથી વરસશે ધન


- રવિવારે ઘરેથી નીકળો એટલે માથા પર ચંદનનું તિલક કરવું. આમ કરવાથી દરેક કામમાં સફળતા મળે છે. જે પણ કામ કરવા તમે જાવ છો તેમાં સફળતા મળે છે.


- રવિવારે લાલ રંગના કપડા પહેરવા શુભ માનવામાં આવે છે. લાલ રંગના કપડા પહેરી સૂર્ય પૂજા કરવી જોઈએ. આ સાથે રવિવારે ગોળ, દૂધ, ચોખા અને કપડાનું દાન કરવું પણ શુભ રહે છે. 


આ પણ વાંચો: રસોડામાં આ બે વાસણ ઊંધા રાખશો તો થઈ જાશો કંગાળ, ઘરનું ધનોતપનોત કાઢી નાખે છે આ ભુલ


- રવિવારે નદીમાં ગોળ અને ચોખા પ્રવાહિત કરવા પણ શુભ ગણાય છે. તેનાથી અટકેલા કામમાં ગતિ આવે છે અને તે ઝડપથી પૂરા થાય છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)