Roti Flour: દરેક ઘરમાં દિવસમાં બે થી ત્રણ વખત અલગ અલગ લોટ બાંધવામાં આવે છે. આ કામને ખૂબ જ સામાન્ય ગણવામાં આવે છે પરંતુ લોટ બાંધતી વખતે જો કેટલીક ભૂલ થઈ જાય તો તેનાથી આખા પરિવાર પર અસર પડે છે. આ ભૂલ ઘણી વખત અજાણતા થઈ જાય છે પરંતુ આ ભૂલ આખા પરિવારને આર્થિક સ્થિતિ, પ્રગતિ, સ્વાસ્થ્ય, વૈવાહિક જીવન પર નકારાત્મક અસર કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: મિથુન સહિત આ 3 રાશિ બુધ-ગુરુની દ્રષ્ટિથી થશે માલામાલ, મળશે અપાર ધન, થશે પ્રગતિ


વાસ્તુશાસ્ત્રમાં રોટલીના લોટ સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો વ્યક્તિ સુખ સમૃદ્ધિમાં જીવન જીવે છે અને તેને લાભ પણ વધારે થાય છે. પરંતુ અજાણતા પણ જો આ ભૂલ થઈ જાય તો તે વ્યક્તિની બરબાદીનું કારણ પણ બની શકે છે. આજે તમને જણાવીએ રોટલીનો કે અન્ય કોઈપણ લોટ બાંધતી વખતે કઈ ભૂલ કરવાનું ટાળવું. 


લોટ બાંધતી વખતે ન કરો આ ભૂલ 


આ પણ વાંચો: અકસ્માત મૃત્યુ, અપરિણીત વ્યક્તિ, સૌભાગ્યવતી સ્ત્રીનું શ્રાદ્ધ કઈ તિથિએ કરવું? જાણો


1. વાસ્તુ નિષ્ણાંતો અનુસાર રસોડામાં રોટલી માટે લોટ બાંધતી વખતે સમયને ધ્યાનમાં રાખો. એટલે કે રોટલી બનાવવાની થોડીવાર પહેલા જ લોટ બાંધો સવારથી લોટ બાંધીને રસોડામાં રાખી ન મૂકો. સાથે રોટલીનો લોટ વધારે બાંધીને તેને ફ્રિજમાં રાખવાની ભૂલ ન કરો. આ રીતે રાખેલો લોટ બીમારીઓનું કારણ પણ બને છે અને જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાસી લોટ ઘરમાં ગરીબી વધારે છે. 


આ પણ વાંચો: 15 દિવસમાં આ 3 રાશિના લોકોનું વધી જશે બેંક બેલેન્સ, શુક્ર, બુધ, સૂર્ય બનાવશે ધનવાન


2. લોટ બાંધીને તૈયાર થઈ જાય પછી તેના પર આંગળીથી નિશાન જરૂરથી બનાવો. લોટને એક સરખો ગોળ કરીને ક્યારેય રાખવો નહીં. લોટને આ રીતે પૂર્વજોના પિંડદાન સમયે જ રાખવામાં આવે છે, આ સિવાય રોટલીનો લોટ બાંધો ત્યારે તેના પર આંગળીથી નિશાન બનાવી દેવા. 


આ પણ વાંચો: Vastu Tips: ઘરમાં હોય તો તુરંત ફેંકી દો આ 5 વસ્તુ, પરિવારને રોડ પર લાવી દેશે આ વસ્તુ


3. એ વાતનું હંમેશા ધ્યાન રાખવું કે રોટલીનો લોટ બાંધવાથી લઈને રસોઈનું કોઈ પણ કામ કરવાનું હોય તો સ્નાન કર્યા પછી જ કરવું. હંમેશા સ્નાન કર્યા પછી જ રોટલીનો લોટ બાંધવો. 


4. જો તમે રોજ ભગવાનને ભોગ ધરાવતા હોય તો રોટલીનો લોટ બાંધતી વખતે પાણી તાંબાના લોટા કે વાસણમાં ભરીને તેનો ઉપયોગ કરવો. ત્યાર પછી રોટલી બનાવો એટલે સૌથી પહેલી રોટલી ગાય માટે અને પછી ભગવાનના ભોગ માટે કાઢવી. 


આ પણ વાંચો: Samsaptak Yog: 18 સપ્ટેમ્બરથી બુધ-શનિ બનાવશે સમસપ્તક યોગ, 3 રાશિઓની ચાંદી જ ચાંદી


5. રોટલીનો લોટ બાંધ્યા પછી જે પાણી બચે તેને ગટરમાં ફેકવું નહીં. આ પાણીને છોડમાં પધરાવી દેવું


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)