Human behavior: જ્યારે શરીરના વિવિધ ભાગોની રચના વ્યક્તિની શારીરિક સુંદરતા વધારવામાં મદદ કરે છે, તે વ્યક્તિના ભવિષ્ય વિશે પણ જણાવે છે. કોઈપણ વ્યક્તિના ગુણો, ખામીઓ અને વ્યક્તિત્વ બતાવવા ઉપરાંત તેની અંદર છુપાયેલી પ્રતિભા વિશે પણ આ અંગો કામ કરે છે. આ લેખમાં આપણે માથા અને કાન વિશે ચર્ચા કરીશું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રહી 15 લાખથી ઓછી કિંમતની ટોપ 3 ડીઝલ-ઓટોમેટિક એસયૂવી, મળ છે લક્સરી ફીચર્સ!
Gems For Heath: રત્નોમાં હોય છે દૂર કરવાની તાકાત, જાણો કઇ બિમારી માટે કયું રત્ન


મોટા માથાનો સ્વભાવ
પ્રશસ્ત લલાટ એટલે કે વિશાળ માથું ધરાવતા લોકો માત્ર સુંદર જ નથી હોતા, પરંતુ તેઓ લાંબા આયુષ્ય ધરાવતા, બુદ્ધિશાળી અને સમાજ માટે આદર્શ પણ હોય છે. આ પ્રકારના માથાવાળી સ્ત્રીઓ જીવનભર સુહાગન રહે છે. આવા માથાવાળા લોકો ભાગ્યશાળી, ગુણવાન અને સ્વસ્થ હોય છે. સામાન્ય રીતે, આ લોકો કર્મથી સદાચારી હોય છે અને વ્યભિચાર, લાંચ, સટ્ટો, જુગાર વગેરે જેવા દુર્ગુણોથી દૂર રહે છે. મોટા માથાવાળા લોકો બોલવાની કળામાં મહારત ધરાવતા હોય છે, માઈક સામે આવતાં જ શ્રોતાઓ આપોઆપ શાંત થઈ જાય છે. પળવારમાં લોકોને તમારી તરફ આકર્ષિત કરે છે. તેમના મૌલિક વિચારોને કારણે તેમને વિદ્વાનો વચ્ચે આદર મળે છે.


જે ખુશીની હતી આતુરતા તે આવી ગઇ, કાશ્મીર સુધી ચાલનાર છે સીધી ટ્રેન, ફોટામાં જુઓ 'ચમત્કાર'
ઠંડીમાં શરદી સાથે જોડાયેલી સમસ્યાઓથી રહો છો પરેશાન, તો તુલસીના પાંદડા છે રામબાણ ઇલાજ


નાના માથાવાળાનો સ્વભાવ
જે લોકો તેમના કપાળની બંને બાજુએ હાડકું ઉભરેલું હોય અથવા ઉંચું હોય છે તેઓ મોટે ભાગે નાખુશ રહે છે. નાના માથાવાળા લોકો વિદ્વાન હોવા છતાં આર્થિક સમસ્યાઓથી ઘેરાયેલા રહે છે. તેના જીવનમાં દરેક પગલે દુ:ખ આવે છે પરંતુ તેની પત્ની ખૂબ જ સુશીલ અને વિનમ્ર હોય છે જે તેના જીવનમાં ખુશીનું કારણ બને છે. જે વ્યક્તિના કપાળમાં ચંદ્ર અને ચાર રેખાઓ હોય છે તે જ્ઞાની અને વિદ્વાન હોય છે, તેને દરેક જગ્યાએ સન્માન મળે છે.


Best street food in lucknow: લખનઉના આ સ્વાદીષ્ટ વ્યંજનોની આગળ ફેલ છે દુનિયાના મોટા મોટા સ્ટ્રીટ ફૂડ
Cholesterol: આ આયુર્વેદિક વસ્તુઓની મદદથી ઘટશે કોલેસ્ટ્રોલ, હાર્ટના દર્દીઓનો બચશે જીવ


મોટા કાનવાળાનો સ્વભાવ
તેવી જ રીતે મોટા કાન ધરાવનાર વ્યક્તિ દીર્ઘ આયુષ્યવાન, સદાચારી, મહેનતુ અને ધનવાન હોય છે. આવા લોકો જ ધન અને કીર્તિ પ્રાપ્ત કરે છે. જેમના કાનની અંદર અને બહાર વાળ હોય છે તેઓ દાનવીર અને ઉદાર હોય છે અને તેમનું હૃદય શુદ્ધ હોય છે.


Water After Meals: જમ્યા પછી તરત પાણી પીવાની ટેવ હોય તો સુધારો દેજો, નહીંતર કરવો પડશે આ 5 સમસ્યાનો સામનો
ભારતના આ સ્થળ છે ચમત્કારી, અહીં સ્નાન કરવાથી મટી જાય છે જૂના હઠીલા રોગ


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 


Famous Food: ગુજરાતમાં આ ખાશો તો આંગળીઓ ચાટી જશો, નહીં ખાઓ તો ફેરો માથે પડશે
નવા વર્ષથી આ રાશિવાળાઓની કિસ્મત મારશે પલટી, કેન્દ્ર ત્રિકોણ રાજયોગ આપશે રાજસી વૈભવ