Shani Gochar 2024: શનિદેવને ન્યાયના દેવતા અને કર્મ ફળના દાતા કહેવાય છે. તે વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ આપે છે. શનિદેવ જ્યારે પોતાની ચાલ બદલે છે તો આ પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિદેવની બદલતી ચાલનો પ્રભાવ રાશિચક્રની દરેક રાશિ પર જોવા મળે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિનું નક્ષત્ર પરિવર્તન


આ પણ વાંચો: Chaitra Navratri 2024: ચૈત્ર નવરાત્રી શરુ થાય તે પહેલા જાણી લો વ્રત કરવાના નિયમો


6 એપ્રિલ 2024 ના રોજ બપોરે 3.55 કલાકે શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં ગોચર કરશે. આ નક્ષત્ર પરિવર્તન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે શનિવારના દિવસે જ શનિદેવ નક્ષત્ર બદલી રહ્યા છે. સૂર્યગ્રહણ પહેલા પણ આ મહત્વની ઘટના ગણાશે. આગામી 3 ઓક્ટોબર 2024 સુધી શનિ આ નક્ષત્રમાં જ ગોચર કરશે. 3 ઓક્ટોબર 2024 સુધીનો સમય ચાર રાશિ માટે ફાયદાકારક માનવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ આ ચાર રાશિ કઈ છે અને તેમને કેવા ફાયદા થશે.


શનિના નક્ષત્ર પરિવર્તનનું રાશિફળ


આ પણ વાંચો: Astro Tips: દરિદ્રતાથી મુક્તિ મેળવવા અજમાવો આ 4 માંથી કોઈ એક ઉપાય


મેષ રાશિ - શનિના નક્ષત્ર પરિવર્તનથી મેષ રાશિના લોકોને લાભ થશે. 3 ઓક્ટોબર સુધીનો સમય આ રાશિ માટે શુભ છે. આ સમય દરમિયાન આવકમાં વધારો થશે અને ધન લાભના પણ પ્રબળ યોગ છે. તેનાથી આર્થિક સ્થિતિ સુધરશે. લાંબા સમયથી ચાલતી બીમારીઓ દૂર થશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિ થવાના યોગ છે. પ્રમોશન મળી શકે છે.


આ પણ વાંચો: ગુરુવારે કરેલા હળદરના આ ટોટકાથી મળે છે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીના આશીર્વાદ


મકર રાશિ - મકર રાશિના લોકોને નવી તકો પ્રાપ્ત થઈ શકે છે. સમાજમાં માન સન્માન વધશે. શનિદેવની કૃપાથી નોકરી અને વેપારમાં પ્રગતિના યોગ છે. વેપારનો વિસ્તાર થઈ શકે છે. આ સમય દરમિયાન સંપત્તિ કે વાહન ખરીદવાના પણ યોગ સર્જાશે. ધન લાભના નવા સોર્સ બનશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે.


કન્યા રાશિ - કન્યા રાશિના લોકોને પણ શનિનું નક્ષત્ર પરિવર્તન લાભ કરાવશે. ધન સંપત્તિમાં વધારો થશે. નોકરી કરતા લોકો માટે સારો સમય. ઉપરી અધિકારીઓ કામના વખાણ કરશે. પ્રમોશન પણ થઈ શકે છે. વેપારીઓના હાથમાં નવી ડીલ આવી શકે છે. નફો વધશે.


આ પણ વાંચો: 1 મે સુધી સંભાળીને નોકરી-વેપાર કરે 5 રાશિના લોકો, બુધ ગ્રહ અસ્ત થવાથી વધશે મુશ્કેલી


ધન રાશિ - ધન રાશિના લોકોને પણ શનિદેવ લાભ કરાવશે. નોકરી કરતા લોકોને નવી તકો પ્રાપ્ત થશે. વેપારીઓને નફો થઈ શકે છે. પારિવારિક સંબંધ મજબૂત થશે. દાંપત્યજીવનની સમસ્યા દૂર થશે. પાર્ટનર સાથે ફરવા જવાનું થઈ શકે છે. કાર્યમાં આવતી બાધા દૂર થશે. રોકાણ કરવા માટે સારો સમય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)