Shani Uday 2024: 18 માર્ચ અને સોમવારે ન્યાયના દેવતા શનિ ઉદય થયા છે. શનિનું ઉદય થવું દરેક રાશિને અસર કરશે. કુંભ રાશિમાં શનિ ગ્રહનો ઉદય થયો છે જેના કારણે છ રાશિના લોકોનું ભાગ્ય બદલી જશે. આ સમય દરમિયાન તેમની આવકમાં બમ્પર વધારો થશે. આ રાશિના લોકોનું બેંક બેલેન્સ વધશે અને કારકિર્દીમાં પણ સફળતા મળવાનો પ્રબળ યોગ છે. તો ચાલો તમને જણાવીએ 18 માર્ચથી કઈ કઈ રાશિનો ભાગ્યોદય થવાનો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શનિના ઉદય થી આ રાશિઓને થશે લાભ


આ પણ વાંચો: Weekly Horoscope: મેષ રાશિના લોકો માટે આ સપ્તાહ અનુકૂળ, વૃષભ રાશિની વધશે ચિંતા


મેષ રાશિ


મેષ રાશિના લોકોને શનિનું ઉદય થવું કાર્ય સ્થળમાં પ્રમોશન કરાવી શકે છે. નવી નોકરીની ઓફર મળી શકે છે. આવકમાં વધારો થશે. વેપારી વર્ગને નફો થશે. આવક ના નવા સ્ત્રોત બનશે.


વૃષભ રાશિ


આ રાશિનો સ્વામી ગ્રહ શુક્ર છે. જે શનિનો મિત્ર ગ્રહ છે. શનિ ગ્રહના ઉદય થવાથી વૃષભ રાશિના લોકો માટે ગોલ્ડન પિરિયડ શરૂ થશે. નોકરીમાં પદ પ્રતિષ્ઠા વધશે. વેપારમાં ઉન્નતિ થશે. ધન લાભ થશે. પગારમાં વધારો થઈ શકે છે.


આ પણ વાંચો: Tulsi Plant: તુલસીના આ છોડની સાથે લગાવો આમાંથી કોઈ એક છોડ, જીવનની સમસ્યાઓ થશે દુર


મિથુન રાશિ


મિથુન રાશિના લોકોને પણ શનિનું ઉદય થવું લાભ કરાવશે. કોઈ મહત્વના કામમાં સફળતા મળશે. જે લોકો રાજકારણમાં સક્રિય છે તેમને વિશેષ લાભ થશે. આર્થિક લાભના યોગ છે. બચતમાં વધારો થશે.


સિંહ રાશિ


સિંહ રાશિ માટે પણ શનિનો ઉદય ભાગ્યોદયનું કારણ બનશે. અટકેલા કામ પુરા થશે. પાર્ટનરશીપમાં જે બિઝનેસ જ છે તેમાં લાભ થશે. વેપારમાં લાભ થશે. આર્થિક સ્થિતિ સુધરશે.


આ પણ વાંચો: હોળી પહેલા આ રાશિના લોકોના જીવનમાં વધશે સમસ્યાઓ, શનિ ઉદય થઈને વધારશે મુશ્કેલીઓ


કન્યા રાશિ


શનિનું ઉદય થવું કન્યા રાશિ માટે પણ ભાગ્યોદયનું કારણ બનશે. કાર્ય સ્થળ પર વાતાવરણ સારું રહેશે. તમારા કામના વખાણ થઈ શકે છે. નોકરીમાં પ્રગતિના યોગ છે. રોકાણથી લાભ થશે. શેર માર્કેટમાં રોકાણ કરવા માટે સારો સમય.


ધન રાશિ


ધન રાશિના લોકોની પ્રતિષ્ઠા વધી શકે છે. વેપારીઓને મોટી ડીલ મળી શકે છે. ઘરમાં માન સન્માન વધશે. રોકાણ માટે સારો સમય. બેંક બેલેન્સ માં વધારો થશે.


આ પણ વાંચો: 9 એપ્રિલે બુધ બદલશે નક્ષત્ર, ચમકી જાશે આ 3 રાશિની કિસ્મત, કારર્કિદી માટે સુવર્ણ સમય


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)