vastu tips for shoe: આજકાલ મોટાભાગના લોકો વાસ્તુશાસ્ત્રને મહત્વપૂર્ણ માને છે. હિન્દુ ધર્મમાં પણ ઘરમાં વાસ્તુ દોષ હોવાને શુભ માનવામાં નથી આવતુ. માનવામાં આવે છે કે વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલા નિયમોનું પાલન કરવામાં ન આવે તો, તેની ખરાબ અસર ઘરમાં રહેતા લોકો પર પડે છે. વાસ્તુ દોષના કારણે જ ઘરની સ્થિતિ ખરાબ થાય છે. મન અશાંત રહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઠોર પરિશ્રમ કરવા છતાં સફળતા નથી મળતી. એટલા માટે વાસ્તુ શાસ્ત્રના નિયમોનું પાલન કરવુ ખૂબ જ જરૂરી છે. આ પૈકીની જ એક છે ઘરમાં જૂતા-ચંપલ રાખવાની યોગ્ય જગ્યા. આ અંગે વધુ જાણકારી આપે છે ભોપાલ નિવાસી જ્યોતિષ્ય અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્રકુમાર શર્મા.


આ પણ વાંચો: માત્ર 22 હજારમાં ખરીદી લો iPhone 12, મહાલૂટમાં લોકો કરી રહ્યા છે પડાપડી
આ પણ વાંચો: સપનેય વિચાર્યું નહી હોય એટલી કિંમતમાં Split AC, ઉનાળો શરૂ થાય તે પહેલાં ખરીદી લેજો
આ પણ વાંચો:  Samsung એ વેલેન્ટાઈન ડે પર મૌજ કરાવી દીધી,ગર્લફ્રેન્ડને આપજો ખુશ થઈ જશે
આ પણ વાંચો: LIC ની પોલિસીથી દેશભરમાં ધૂમ, 15 દિવસમાં વેંચાઈ ગઈ 50 હજારથી વધુ પોલિસી


- વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ઉત્તર અને પૂર્વ દિશાને શુભ માનવામાં આવે છે. આ દિશામાં દેવી-દેવતાઓનો વાસ હોય છે એવી માન્યતા છે. એટલા માટે ભૂલથી પણ ઘરની ઉત્તર અને પૂર્વ દિશામાં જૂતા ન ઉતારવા જોઈએ. 


- વાસ્તુ શાસ્ત્રના જાણકાર કહે છે કે, ઘરમાં ચપ્પલ-જૂતા ઉતારવાની યોગ્ય દિશા દક્ષિણ અને પશ્ચિમ છે. આ સિવાય જૂતાને ગમે ત્યાં ઉતારવાને બદલે તેના યોગ્ય સ્થાન પર રાખવા જોઈએ. જો તમે પણ આ નિયમનું પાલન કરો છો તો હંમેશા ઘરમાં સુખ-શાંતિ બની રહે છે.


આ પણ વાંચો: દહીં સાથે ભૂલથી પણ ખાધી 5 વસ્તુ તો પસ્તાવાનો પાર નહી, નુકસાનની તો વાત ન કરો
આ પણ વાંચો:  Insurance Policy લીધી છે તો આ નિયમો જાણી લેજો, ક્લેમ સેટલમેન્ટમાં નહી પડે ડખા
આ પણ વાંચો: 
ભીંડાનું પાણી પણ સ્વાસ્થ્ય માટે છે વરદાન, કોલેસ્ટ્રોલ અને બ્લડ સુગરમાં મળે છે રાહત


- આ સિવાય પૂજા ઘરમાં પણ જૂતા-ચપ્પલને રાખવુ શુભ માનવામાં નથી આવતુ. તેમાં વાસ્તુ દોષ હોય છે. આ સિવાય જૂતા નવા હોય તો પણ તિજોરીમાં ન રાખવા જોઈએ. આ ધન રાખવાની જગ્યા છે. તિજોરીમાં જૂતા રાખવાથી લક્ષ્મીજીનું અપમાન થાય છે. 


- ઘણા લોકોની આદત હોય છે કે કંઈપણ જોયા કે સમજ્યા વગર ગમે ત્યાં પોતાના જૂતા ઉતારી દે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ, ઘરમાં જૂતા-ચપ્પલ યોગ્ય રીતે રાખવા જરૂરી છે. આ સિવાય જૂતાને ક્યારેય પણ ઊંધા ન રાખવા જોઈએ. માનવામાં આવે છે કે, આમ થતા ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. ઘરની સુખ-શાંતિ પણ ભંગ થઈ શકે છે.


આ પણ વાંચો: ભારતમાં મોટા પરિવાર માટે 7 સીટર કાર ખરીદનારાઓની આ 10 કાર છે ફેવરિટ
આ પણ વાંચો: ફ્લેટની ચાવી આપી દીધા બાદ પણ બિલ્ડરના કામ અધૂરા હોય તો? SC એ આપ્યો મોટો ચૂકાદો
આ પણ વાંચો: સુલતાનોને ખુશ કરવા પતંગિયા જેવી પરીઓ રહેતી તૈયાર, ઇચ્છે તેની રાત વિતાવે


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube