Vastu Tips: આજે આપણે બધા આધુનિક બની ગયા છીએ અને તેથી જ આપણા રસોડામાં અનેક પ્રકારની સુંદર ક્રોકરી જોવા મળે છે. જૂના સમયમાં જે માટીના વાસણો વપરાતા હતા તે હવે ઘરોમાંથી ગાયબ થઈ ગયા છે. પહેલાના ઘરોમાં પાણીના વાસણોથી લઈને ખાવાના વાસણો માટીના હતા. પરંતુ હવે તેની જગ્યા સ્ટીલ, કાચ અને પોર્સેલેઈન વાસણોએ લઈ લીધી છે. જ્યારે માટીના વાસણો સ્વાસ્થ્ય માટે જ નહીં, પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર પણ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર માટીની બનેલી કેટલીક વસ્તુઓ ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

માટીનો ઘડો
હવે લગભગ દરેક ઘરમાં ફ્રીજમાં રાખેલા ઠંડા પાણીનો જ ઉપયોગ થાય છે. પરંતુ માટીના ઘડામાં રાખેલ પાણી ફ્રીજના પાણી જેટલું ઠંડુ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીથી ભરેલો માટીનો વાસણ ઘરની ઉત્તર દિશામાં રાખવો જોઈએ. એવું કહેવાય છે કે પાણીથી ભરેલુ માટીનુ વાસણ ઘરમાંથી નકારાત્મકતા દૂર કરે છે.


 


માટીની કલાક્રુતિઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરની ઉત્તર-પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાનો સીધો સંબંધ પૃથ્વી તત્વ સાથે છે અને આ દિશામાં માટીમાંથી બનેલી વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.


માટીનો દીવો
દિવાળીના દિવસે દરેક ઘરમાં માટીના દીવા પ્રગટાવવામાં આવે છે. પરંતુ માટીના દીવાઓનો ઉપયોગ માત્ર દિવાળીના દિવસે જ નહી, પરંતુ મંદિરમાં પૂજા માટે પણ કરવો જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરમાં ધાતુના દીવાની જગ્યાએ માટીના દીવાનો ઉપયોગ કરવો ખૂબ જ શુભ છે.


અસ્વીકરણ: અહીં આપવામાં આવેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. zee24kalak આની પુષ્ટિ કરતું નથી. 


આ પણ વાંચો:
બિપરજોયના ડરથી ગુજરાતમાં તોડવામાં આવી ઈમારતો, 90 ટ્રેનો રદ, ચક્રવાતની અસર જોવા મળી
સૌરાષ્ટ્ર, કચ્છના કાંઠે 15મીએ બપોરે 12 વાગ્યે ભારે પવન સાથે ટકરાશે બિપરજોય  

રાશિફળ 13 જૂન: મેષ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ, સારા સમાચાર મળશે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube