vivah ke upay: વાસ્તુશાસ્ત્રનો પ્રયોગ દરેક દેશમાં અલગ અલગ રીતે થાય છે અને દરેક દેશમાં તેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ચીનમાં તેને ફેન્ગશૂઈ નામથી પણ ઓળખવામાં આવે છે. ફેન્ગશૂઈમાં કેટલાક ઉપાય તાજા ફુલ સંબંધિત છે. તાજા ફૂલનો પોતાનો અલગ પ્રભાવ હોય છે. તાજા ફુલનો ઉપયોગ કેટલીક વિશેષ બાબતોમાં કરવામાં આવે તો તેનાથી લાભ થાય છે. તાજા ફુલના ઉપયોગથી પોઝિટિવ એનર્જી આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: શનિના નક્ષત્ર પરિવર્તનથી 3 રાશિ માટે સુખનો સમય શરુ, બંને હાથે ભેગા કરશે રુપિયા


ફેન્ગશૂઈ અનુસાર કેટલાક તાજા ફુલ એવા પણ હોય છે જે માંગલિક પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધારે છે અને જેના કારણે ઘરમાં વિવાહ યોગ્ય યુવતી કે યુવકના લગ્ન ઝડપથી નક્કી થઈ શકે છે. ઘણા લોકો એવા હોય છે જેમના લગ્નની વાત લગભગ ફાઇનલ થવાની હોય પરંતુ કોઈ કારણોસર લગ્ન નક્કી થઈ શકતા નથી. જેની સાથે વારંવાર આવું થતું હોય તેમણે પીયોનીના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ. 


આ પણ વાંચો: દૈનિક રાશિફળ 29 નવેમ્બર: આજે સફળતા મેળવવા માટે સખત મહેનત કરશો અને મહેનત પણ રંગ લાવશે


પીયોનીના ફૂલ માંગલિક પોઝિટિવ એનર્જીનો પ્રવાહ વધારે છે. ખાસ કરીને જે ઘરમાં વિવાહ યોગ્ય કન્યાઓ હોય અને પરિવારના લોકો તેના લગ્ન માટે પ્રયાસ કરી રહ્યા હોય તેમના માટે આ ફૂલ લાભકારી છે. જો કન્યાના લગ્ન નક્કી થતાં થતાં અટકી જતા હોય અને તેના લગ્નમાં બાધા આવતી હોય તો યુવતીના રૂમમાં આ ફૂલ રાખી દેવા જોઈએ.


આ પણ વાંચો: વર્ષ 2024 માં અમીર બનવું હોય તો નવા વર્ષનું કેલેન્ડર લગાડવામાં ન કરતાં આ ભુલો


અનુસાર જે રૂમમાં યુવતી સૌથી વધુ સમય પસાર કરતી હોય તે રૂમની દક્ષિણ પશ્ચિમ દિશામાં એટલે કે નૈઋત્ય ખૂણામાં પિયોનીના ફુલ રાખવાથી શુભ ફળ ઝડપથી મળે છે. આ ફૂલ રાખવાની શરૂઆત કર્યાના થોડા જ દિવસમાં લગ્ન સંબંધિત બાધાઓનું સમાધાન થઈ જાય છે. જો આ ફૂલ મળતા ન હોય અથવા તો મોંઘા હોવાના કારણે આ ફૂલને રોજ રાખી શકાય તેવી સ્થિતિ ન હોય તો તમે આ ફૂલની પેઇન્ટિંગ ને પણ રૂમના નૈઋત્ય ખૂણોમાં રાખી શકો છો.


આ પણ વાંચો: December 2023: આજથી 28 ડિસેમ્બર સુધી રહેશે મહાધન યોગ, આ 3 રાશિના લોકો કમાશે અઢળક ધન


(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)