Benefits Of Moti Ratna: મોતી રત્નનો સંબંધ ચંદ્ર સાથે હોય છે. એટલે કે, જે લોકોની કુંડળીમાં ચંદ્ર ગ્રહની સ્થિતિ નબળી કે અશુભ સ્થિતિમાં છે તેમને ચંદ્ર ગ્રહને ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, મોતીનો રંગ સફેદ અથવા તો ક્રીમ કલરનો હોય છે. માનવામાં આવે છે તે, મોતી પહેરવાથી વિચારો પર નિયંત્રણ આવે છે અને મનની મૂંજવણો પણ સમાપ્ત થઈ જાય છે. તો ચાલો જાણીએ, મોતી ધારણ કરવાની યોગ્ય વિધિ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


માર્ચ મહિનામાં 4 ગ્રહોનું થશે રાશિ પરિવર્તન, 3 રાશિના લોકોને થશે ધનલાભ


1 રૂપિયાનો સિક્કો તમને કરશે માલામાલ, અજમાવો સિક્કાના આ ચમત્કારી ટોટકા


અટકેલું ધન પ્રાપ્ત કરવું હોય તો તિજોરીમાં રાખો આ વસ્તુ, ઘરમાં ભરાશે ધનના ભંડાર


આ લોકો મોતી ધારણ કરી શકે છે

વૈદિક જ્યોતિષ અનુસાર જો કોઈ વ્યક્તિની મહાદશા ચાલી રહી છે અને કુંડળીમાં ચંદ્ર શુભ સ્થિતિમાં છે તો મોતી ધારણ કરી શકાય છે. સાથે જ જો ચંદ્રમાં જન્મની કુંડળીમાં 6, 8 અથવા 12માં ભાવમાં સ્થિત છે તો પણ મોતી ધારણ કરી શકાય છે. ત્યાં બીજીબાજુ ચંદ્ર ગ્રહની કુંડળીમાં નબળો હોય તો પણ મોતી ધારણ કરી શકાય છે. કર્ક અને મીન રાશિવાળા લોકો પણ ચંદ્રને ગ્રહણ કરી શકે છે. પૌરાણિક માન્યતા અનુસાર મોતીનો સંબંધ માં લક્ષ્મી સાથે માનવામાં આવે છે. મોતીને ધારણ કરવાથી માં લક્ષ્મીની અસીમ કૃપા વરસે છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે મોતીને ક્યારેય પણ નીલમ અને ગોમેદ સાથે ધારણ ન કરવો જોઈએ. નહીં તો નુકસાન થવાની સંભાવના છે.


મોતી પહેરવાના ફાયદા

મોતી પહેરવાથી તણાવ દૂર થાય છે. આ સાથે જે લોકોને માનસિક સમસ્યા હોય તેઓ પણ મોતી પહેરી શકે છે. જો કોઈ વ્યક્તિ હંમેશા નિરાશ રહેતો હોય તો પણ તેણે મોતી પહેરવા જોઈએ. તેને પહેરવાથી વ્યક્તિ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા શીખે છે. શરદી-ખાંસીની સમસ્યા દૂર થાય છે. બીજી તરફ જે લોકોને અનિંદ્રાની ફરિયાદ હોય તેઓ પણ મોતી પહેરી શકે છે.


આ પણ વાંચો:


વર્ષ 2023નું પહેલું Surya Grahan આ રાશિના લોકો માટે હશે ભારે, રહેજો સાવધાન


ધન પ્રાપ્તિની ઈચ્છા હોય તો આજથી શરુ કરી દો આ કામ, રૂપિયા ગણવા રાખવું પડશે મશીન


સુખ, સમૃદ્ધિ સાથે માતા લક્ષ્મીના ઘરમાં થશે પગલાં, ઘરમાં રોજ કરો આ કામ
 
આ રીતે પહેરો

બજારમાંથી ઓછામાં ઓછી 6થી સવા 7 રત્તી મોતી ખરીદવી જોઈએ. તેની સાથે જ ચાંદીની ધાતુમાં મોતી પહેરવા જોઈએ. બીજી તરફ હાથની સૌથી નાની આંગળીમાં અને સોમવારે મોતી ધારણ કરવું જોઈએ. અને વીંટી પહેરતા પહેલા તેને ગંગાજળ અને કાચા ગાયના દૂધથી શુદ્ધ કરવામાં આવે છે. ત્યારબાદ તેને ધારણ કરવાથી જાતકને ચંદ્ર ગ્રહનું શુભફળ મળે છે.