India beat England in 5th Test: ભારતે ઇંગ્લેંડ વિરૂદ્ધ 5 ટેસ્ટ મેચોની સીરીઝને 4-1 થી જીતી લીધી છે. તેમણે ધર્મશાળામાં રમાયેલી સીરીઝના અંતિમ મુકાબલામાં ઇંગ્લિશ ટીમને ઇનિંગ અને 64 રનથી હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ અંગ્રેજો વિરૂદ્ધ જીતનો ચોગ્ગો ફટકર્યો. હૈદરાબાદમાં સીરીઝની પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ રોહિત શર્મા બ્રિગેડે જબરદસ્ત વાપસી કરી અને આગામી ચાર મેચ જીતી લીધી. ધર્મશાલામાં પોતાની 100મી ટેસ્ટ રમવા આવેલા અનુભવી સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને શાનદાર પ્રદર્શન કર્યું. તેણે પ્રથમ દાવમાં 4 અને બીજી ઈનિંગમાં 5 વિકેટ ઝડપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાચવીને રહેજો... પોપટે લીધો 5 લોકોનો જીવ? દુનિયામાં મચી ગયો હડકંપ


ટીમ ઈન્ડિયાએ લગાવી હેટ્રિક 
આ સાથે ટીમ ઈન્ડિયાએ અંગ્રેજો વિરુદ્ધ હોમ ગ્રાઉન્ડ પર સતત ત્રીજી ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળતા મેળવી છે. અગાઉ 2016માં તેણે 5 ટેસ્ટ શ્રેણી 4-0થી જીતી હતી અને 2021માં તેણે 4 ટેસ્ટ શ્રેણી 3-1થી જીતી હતી. છેલ્લી વખત ભારત ઘરઆંગણે ઈંગ્લેન્ડ સામે 2012-13માં ટેસ્ટ શ્રેણી હારી ગયું હતું.


નીતા અંબાણીએ પહેરી 54 કરોડની ડાયમંડ રિંગ, એક સમયે મુઘલો શાન હતી આ વિંટી
PM Modi Kaziranga Visit: PM Modi એ કાઝીરંગામાં માણ્યો જંગલ સફારીનો આનંદ, ફોટોગ્રાફી સથે આપ્યો આ સંદેશ


ભારત VS ઇંગ્લેંડ ટેસ્ટ સીરીઝ
1. પહેલી ટેસ્ટ (હૈદરાબાદ) – ઈંગ્લેન્ડ 28 રનથી જીત્યું
2. બીજી ટેસ્ટ (વિશાખાપટ્ટનમ) – ભારત 106 રનથી જીત્યું
3. ત્રીજી ટેસ્ટ (રાજકોટ) – ભારત 434 રનથી જીત્યું
4. ચોથી ટેસ્ટ (રાંચી) – ભારત 5 વિકેટે જીત્યું
5. પાંચમી ટેસ્ટ (ધર્મશાલા) – ભારત એક ઇનિંગ્સ અને 64 રનથી જીત્યું


ખિસ્સું કપાયું તો આવ્યો બિઝનેસનો આઇડીયા, નોકરી છોડી ઉભી કરી દીધી ₹30 કરોડની કંપની
ઝડપથી વજન ઓછું કરવામાં કારગર છે વોટર ફાસ્ટિંગ, જાણો શું કહે છે એક્સપર્ટ્સ


એન્ડરસને ટેસ્ટમાં રચ્યો ઇતિહાસ
ભારતે પોતાની પહેલી ઇનિંગમાં સવારે ફક્ત 4 રન ઉમેરીને પોતાની બાકી બચેલી બે વિકેટ ગુમાવી. જેમ્સ એન્ડરસન આ વચ્ચે ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટ લેનાર દુનિયાનો પ્રથમ બોલર બન્યા. તેમણે કુલદીપ (30) ને વિકેટની પાછળ કેચ કરી આ ઉપલબ્ધિ પ્રાપ્ત કરી જ્યારે ઓફ સ્પિનર શોએબ બશીર (173 રન આપીને 5 વિકેટ) જસપ્રીત બુમરાહ (20) ને આઉટ કરીને ઇનિંગમાં પોતાની પાંચમી વિકેટ લીધી. 


ભારતની તે હિંદુ મહારાણી, જેણે 30 હજાર મુગલ સૈનિકોના કાપી નાખ્યા હતા નાક!
જો નાગને મારી નાખો તો નાગીન બદલો લે ખરા? આ 5 દંતકથાઓમાં કેટલું સત્ય