Rani Karnavati: ભારતની તે હિંદુ મહારાણી, જેણે 30 હજાર મુગલ સૈનિકોના કાપી નાખ્યા હતા નાક!

Rani Karnavati Died March 8, 1535: આજે ભારતની તે મહારાણીની પુણ્યતિથિ છે જે 'નાક કાપનાર મહારાણી' નામથી લોકપ્રિય છે. તેના પરાક્રમ આગળ મુઘલોએ ઘૂંટણીયા ટેકી દીધા હતા. તેમણે લૂટેરી મુઘલ સેનાને અપમાનિત-પરાજિત કરી રીતસર નાક કપાવી નાખ્યા હતા. આવો જાણીએ તે ઘટના જ્યારે મુઘલ સૈનિકોએ લાચાર થઇને પોતાના નાક કાપી દીધા હતા. 

Rani Karnavati: ભારતની તે હિંદુ મહારાણી, જેણે 30 હજાર મુગલ સૈનિકોના કાપી નાખ્યા હતા નાક!

તમને જણાવી દઇએ કે ગઢવાલ સામ્રાજ્યની છે. આ રાજ્યની એક રાણીનું નામ હંમેશા માટે ઇતિહાસમાં નોંધાયેલું છે. નામ હતું રાણી કર્ણાવતી. રાણી કર્ણાવતી ગઢવાલના રાજપૂર રાજા મહીપતિ શાહની પત્ની હતી. રાજા મહીપતિ શાહનું મોત જલદી જ થઇ ગયું હતું. ત્યારબાદ તેમની પત્ની રાણી કર્ણાવતીએ પોતાના સાત વર્ષના પુત્ર પૃથ્વીપતિ શાહ તરફથી રાજ્ય પર શાસન કર્યું. 

નજાબત ખાને ગઢવાલ સામે લેવાની હતી ટક્કર
વર્ષ 1640 માં નજાબત ખાનના નેતૃત્વમાં મુઘલ સેનાએ જ્યારે આ રાજ્ય પર આક્રમણ કર્યું તો રાણી કર્ણાવતીએ સફળતાપૂર્વક મુઘલ આક્રમણકારીઓ વિરૂદ્ધ રાજ્યની રક્ષા કરી. લેખક નિકોલો મનુચી (Nicolo Manucci) પોતાના પુસ્તકમાં લખે છે કે રાણીએ પોતાના પરાક્રમથી મુઘલોની સેનાને પરાસ્ત કરી દીધી. 

મુઘલ સૈનિકોના માથા વાઢી દેવાનો આદેશ
પકડાયેલા મુઘલ સૈનિકોના માથા વાઢી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાણીનો આદેશ હતો કે પકડાયેલા સૈનિકોએ કાં તો પોતાનું નાક કાપી નાખવું જોઈએ અથવા તો માથું કાપી નાખવામાં આવશે. ત્યારબાદ પરાજિત મુઘલ સૈનિકોએ તેમના હથિયારો ફેંકી દીધા અને તેમના પોતાના નાક કાપી નાખ્યા હતા. નજાબત ખાન જે મુઘલ હતો, તે પોતાનું કપાયેલું નાક લઇને પરત ફરવાનું સહન કરી શક્યો નહી અને રસ્તામાં તેણે ઝેર ખાઇને આત્મહત્યા કરી દીધી હતી. 

રાણી કર્ણાવતીને પોતાના નાનકડા રાજ્ય ઉત્તરાખંડની ભૌગોલિક સ્થિતિનો હંમેશા લાભ મળ્યો કારણ કે મુઘલ સેનાને ગોરિલ્લા ટેક્નોલોજી જેવી પર્વતીય યુદ્ધ ટેકનોલોજી વિશે જાણકારી નહી, એટલા માટે નજાબત ખાને રાણી કર્ણાવતી સાથે શાંતિ સંઘિ પર હસ્તાક્ષર કરવા પડ્યા હતા. 

રાણી કર્ણાવતી કૂટનીતિમાં હતી કુશળ 
રાણી કર્ણાવતીએ નજાબત ખાન સાથે સીધો મુકાબલો કર્યો ન હતો. તેમણે કૂટનીતિથી કામ લીધું. રાણીએ તેમને પોતાની સીમા ઘૂસવા દીધા પરંતુ જ્યારે તે હાલના લક્ષ્મણઝુલા, ઋષિકેશથી આગળ વધ્યા તો તેમના આગળ અને પાછળ જવાના માર્ગના બધા જ રસ્તા બ્લોક કરી દીધા. ગંગાના કિનારે અને ડુંગરાળ રસ્તાઓથી અજાણ આક્રમણકારી મુઘલ સૈનિકોનો ખોરાકનો પુરવઠો ખતમ થવા લાગ્યો હતો. 

નાક કપાવવા પાછળ બીજી પણ છે કહાની
મુઘલ સેના નબળી પડવા લાગી. એવામાં લુટેરા નજાબતે રાણી પાસે સંધિનો પ્રસ્તાવ મોકલ્યો પરંતુ તેને નકારી કાઢવામાં આવ્યો. હવે મુઘલ સેનાની સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. રાણીએ મુઘલોઇને સંદેશ મોકલાવ્યો કે તે મુઘલ સૈનિકોને જીવનદાન આપી શકે છે,પરંતુ તેના માટે તેમને પોતાનું નાક કપાવવું પડશે. 

હતાશ-નિરાશ મુઘલ સૈનિઓના છીનવી લીધા હથિયાર
હવે મુઘલ સૈનિકોને પણ લાગી રહ્યું હતું કે નાક કપાઇ ગયું તો શું જીંદગી તો રહેશે ત્યારે પરાજિત અને હતાશ નિરાશ મુઘલ સૈનિકોના હથિયાર છીનવી લેવામાં આવ્યા અંતમાં તે તમામના એક પછી એક નાક કાપી નાખવામાં અવ્યા. કહેવામાં આવી રહ્યું છે કે જે લોકોના નાક કાપવામાં આવ્યા હતા. તે મુઘલ સૈનિકોની સંખ્યા ત્રીસ હજારથી વધુ હતી. જે સૈનિકોના નાક કાપવામાં આવ્યા હતા તેમાં નજાબત ખાન પણ સામેલ હતો. તેથી તે પહાડોથી મેદાનો તરફ પરત ફરતી વખતે અપમાનિત અવસ્થામાં આત્મહત્યા કરી લીધી હતી. 

ત્યારબાદ મુઘલોની હિંમત થઇ નહી કે તે કુમાઉં-ગઢવાલ તરફ આંખ ઉઠાવીને જુએ. પોતાના સૈનિકોની આ હાલત જોઇ મુઘલ સામ્રાજ્યના બાદશાહોમાં એક શાહજહાં ખૂબ પરેશાન થયો અને આદેશ આપ્યો કે રાણી કર્ણાવતીને નક-કટી રાણી, 'કટી-નાક' કહેવામાં આવશે. ત્યારબાદ મુઘલોની હિંમત થઇ નહી કે કુમાઉં-ગઢવાલ તરફથી આંખ ઉઠાવીને જુએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news