KRK on Virat Kohli: રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ ક્વાલિફાયર-2 માં રાજસ્થાન રોયલ્સ સામે હારનો સ્વાદ ચાખ્યા બાદ આઇપીએલ 2022 માંથી બહાર થઇ ગઇ છે. આ હારની સાથે આરસીબીની ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર તૂટી ગયું. આરસીબીના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી માટે આઇપીએલની આ સીઝન કંઇ ખાસ રહી નહી. વિરાટ કોહલી 16 મેચોમાં 341 રન જ બનાવી શક્યા. તેમની એવરેજ લગભગ 23 ટકા રહી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિરાટ કોહલીના આ પ્રદર્શન બાદ બોલીવુડ એક્ટર અને પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેનાર કમાલ ખાન ઉર્ફે કેઆરકેએ ટ્વીટ કર્યું છે. કેઆરકેએ કોહલીને સંન્યાસ લેવાની સલાહ આપી છે. 


કેઆરકેએ લખ્યું, 'પ્રિય વિરાટ કોહલી મેં તમને છેલ્લી મેચો રમવાની ના પાડી હતી, પરંતુ તમે મારી વાત ન માની. તમારા કારણે જ આજે આરસીબી આઇપીએલમાંથી બહાર થઇ ગયું છે. આશા છે કે તમે જલદી જ ક્રિકેટના તમામ ફોર્મેટ સાથે સંન્યાસ લેવાની જાહેરાત કરશે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube