IPL 2023 SRH vs PBKS: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 14મી મેચ 9મી એપ્રિલે આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યાથી રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સતત 2 મેચ જીત્યા બાદ પંજાબ કિંગ્સનો ઉત્સાહ ઊંચો છે. આવી સ્થિતિમાં શિખર ધવનની ટીમ જીતની હેટ્રિક ફટકારવા ઈચ્છશે. પંજાબ કિંગ્સે પોતાની ઓપનર મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 7 રનથી હરાવ્યું હતું. બીજી મેચમાં રાજસ્થાન રોયલ્સનો 5 રને પરાજય થયો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની જીતનું ખાતું પણ ખુલ્યું નથી. હૈદરાબાદની ટીમે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંનેમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. હૈદરાબાદને પ્રથમ મેચમાં રાજસ્થાન રોયલ્સે હરાવ્યું હતું. જ્યારે બીજી મેચમાં તેને લખનૌ સુપર જાયન્ટ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ચાલો તમને જણાવીએ મેચ પહેલા બંને ટીમોની સંભવિત પ્લેઇંગ 11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન વિષે..


આ પણ વાંચો
આજે ખરી કસોટીનો દિવસ : 9.53 લાખ ઉમેદવારો જુનિયર ક્લાર્કનું પેપર આપશે
છાપરા ઉડી જાય એવી આગાહી! સાચવજો, આ વિસ્તારોમાં બે દિવસમાં આવી શકે છે વાવાઝોડું
09 એપ્રિલ 2023 રાશિફળઃ કોને નડશે અને કોને ફળશે ગ્રહોની ચાલ? કેવો રહેશે આજનો દિવસ?


SRH vs PBKS પિચ રિપોર્ટ
હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ બેટ્સમેનોને અનુકૂળ છે. અહીં બોલ બેટ પર સરળતાથી આવે છે અને બેટ્સમેન તેને ઇચ્છિત વિસ્તારમાં રમી શકે છે. જેમ જેમ મેચ આગળ વધે છે તેમ સ્પિનરો અહીં અસરકારક સાબિત થાય છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનારી ટીમ ફાયદામાં રહેશે.


સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેઇંગ 11: એડન માર્કરામ (કેપ્ટન), મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ (વિકેટકીપર), રાહુલ ત્રિપાઠી, હેરી બ્રુક, વોશિંગ્ટન સુંદર, અબ્દુલ સમદ, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક, આદિલ રશીદ.


પંજાબ કિંગ્સના પ્લેઇંગ 11: શિખર ધવન (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, ભાનુકા રાજપક્ષે, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, સેમ કરણ, સિકંદર રઝા, નાથન એલિસ, હરપ્રીત બરાર, રાહુલ ચહર, અર્શદીપ સિંહ.


સનરાઇઝર્સ હૈદરાબાદ-પંજાબ કિંગ્સ મેચ પ્રિડીક્શન 
IPL 2023માં બંને ટીમોએ પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. સનરાઇઝર્સ હૈદરાબાદની જીતનું ખાતું હજુ ખોલવાનું બાકી છે. તે જ સમયે, પંજાબ કિંગ્સની ટીમ આ સિઝનમાં 2 મેચ રમી હતી, જે જીતવામાં સફળ રહી હતી. પંજાબ કિંગ્સ ટીમ સનરાઇઝર્સ સામે રમાનારી મેચ જીતી શકે છે.


આ પણ વાંચો
ડાયાબિટીસના દર્દીએ રાત્રે સુતા પહેલા કરી લેવું આ કામ, બ્લડ શુગર રહેશે કંટ્રોલમાં
પૈસાની તંગીથી હોય પરેશાન તો અજમાવો એકવાર તુલસીના પાનનો આ ચમત્કારી ઉપાય

Gujarat Corona Update: કોરોનાના કેસમાં ઘટાડો, નવા 260 કેસ નોંધાયા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube