નવી દિલ્હી: સૌરવ ગાંગુલી કે જેમણે વિવાદમાં ફસાયેલ ટીમ ઇન્ડિયાને બદલી અને વિશ્વ કપ ફાઇનલ સુધી પહોંચાડી. ક્રિકેટની દુનિયામાં 'દાદા' ના હુલામણા નામથી જાણીતા સૌરવ ગાંગુલીનો પીચ પર એવો દબદબો હતો કે સ્પિનરો એમની સામે બોલિંગ નાંખતા પણ ડરતા હતા. ભારતીય ક્રિકેટને વિશ્વ સ્તરે એક અલગ ઓળખ અપાવનાર ઝઝૂની કેપ્ટન સૌરવ ગાંગુલીનો આજે જન્મ દિવસ છે. 8 જુલાઇ 1972 ના રોજ સૌરવ ગાંગુલીનો જન્મ થયો હતો. ક્રિકેટમાં સફળ ખેલાડી અને કેપ્ટન તરીકે ઓળખ બનાવનાર ગાંગુલીએ ભારતીય ક્રિકેટને નવી ઉંચાઇ અપાવી હતી. જોકે એક ભૂલ કે જેણે ગાંગુલીની કેરિયરને ખતમ કરી નાંખી, આવો જાણીએ કેવી રહી ગાંગુલીની ક્રિકેટ સફર...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

11 વર્ષ પહેલા પોતાની આખરી ટેસ્ટ રમનાર ખેલાડી સૌરવ ગાંગુલીની લોકપ્રિયતાનો અંદાજ લગાવી શકાય છે કે, આજે એમના જન્મ દિવસે ગણતરીના કલાકોમાં જ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યા છે. પોતાની કેરિયરની શરૂઆતમાં પ્રિન્સ ઓફ કોલકત્તા, બંગાળ ટાઇગર અને મહારાજા જેવા નામથી મશહુર સૌરવ જ્યારે 2008માં પોતાની આખરી ટેસ્ટ મેચ રમી ત્યાં સુધી તે બધાના દાદા બની ચૂક્યા હતા. ક્રિકેટ જગતના તે એક માત્ર એવા ખેલાડી છે કે જેમની દાદાગીરી બધાને પસંદ હતી.


લેટેસ્ટ સ્પોર્ટ્સ ન્યૂઝ જાણો એક ક્લિક પર