ચેન્નઈઃ ઈંગ્લેન્ડે ભારત (IND vs ENG) ને સિરીઝની પ્રથમ મેચમાં 227 રને કારમો પરાજય આપ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ (virat kohli) આ હાર બાદ સ્વીકાર કર્યો કે, તેની ટીમ ઈંગ્લેન્ડ પર વધુ દબાવ ન નાખી શકી. કોહલીએ કહ્યુ, મને લાગે છે કે મેચના પ્રથમ ભાગ પર અમે બોલથી તેના પર જરૂરી દબાવ બનાવ્યો. કુલ મળીને એક બોલિંગ યુનિટ તરીકે અમારે નિયંત્રણ રાખવાની જરૂર હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતની સામે ચોથી ઈનિંગમાં 420 રનનો લક્ષ્ય હતો પરંતુ મંગળવારે મેચના અંતિમ દિવસે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. કેપ્ટન કોહલી (Virat kohli) એ બીજી ઈનિંગમાં સૌથી વધુ 72 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફતી સ્પીનર જેક લીચે ચાર વિકેટ ઝડપી હતી. 


આ પણ વાંચોઃ ઇંગ્લેન્ડ સામે ટીમ ઇન્ડિયાએ ટેક્યા ઘૂંટણ, ચેન્નાઈમાં 227 રનથી મળી શરમજનક હાર


કોહલીએ કહ્યુ, 'ફાસ્ટ બોલરો અને અશ્વિને પ્રથમ ઈનિંગમાં સારી બોલિંગ કરી પરંતુ અમારે સાથે રનો પર લગામ લગાવવાની જરૂર હતી જેથી થોડા દબાવ બનાવી શકાય. કોહલીએ સ્વીકાર્યુ કે આ વિકેટની ભૂમિકા મહત્વની રહી.' તેણે કહ્યું, આ ધીમી વિકેટ હતી અને બોલરોને તે પ્રકારની મદદ ન મળી જેથી બેટ્સમેનોએ સ્ટ્રાઇક રોટેટ કરવી સરળ બની. એવું લાગ્યું કે, પ્રથમ બે દિવસમાં વિકેટથી બોલરોને વધુ મદદ ન મળી. 


કોહલીએ પરંતુ ઈંગ્લેન્ડની ટીમને તેની રમતનો પણ શ્રેય આપ્યો. કોહલીએ કહ્યુ, ઈંગ્લેન્ડે જે પ્રકારે રમત રમી તેને તેનો શ્રેય મળવો જોઈએ. તેમણે બોર્ડ પર સ્કોર બનાવ્યો. અમારી બોડી લેંગ્વેજ પણ ઉચ્ચ સ્તરની નહતી. 


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube