નવી દિલ્હી: વોટ્સએપ (WhatsApp) પોતાના પેમેન્ટ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે નવા ગ્રાહકોને આકર્ષવા માટે યૂઝર્સને કેશબેકના રૂપમાં મોનેટરી લાભ આપવાની યોજના બનાવી રહ્યું છે. તો બીજી તરફ સોશિયલ મીડિયા દિગ્ગજ મર્ચન્ટ પેમેન્ટ માટે પણ તેનું ટેસ્ટીંગ કરી રહી છે. આ વોટ્સએપને ગૂગલ અને ફોઅને જેવા પોતાના પ્રતિદ્વંદ્રીઓ સાથે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ કરશે. જેની ભારતમાં યુપીઆઇ ટ્રાંજેક્શનની માત્રાને સંસાધિ કરવામાં એક મુખ્ય બજાર ભાગીદારી છે. તાજેતરમાં જ નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એનપીસીઆઇ) એ વોટ્સએપના યૂઝર્સની પોતાની ચૂકવણી સેવાની સીમાને 100 મિલિયન સુધી વધારી દીધી હતી. આ પોઝિટીવ સિગ્નલ છે, કારણ કે ભારતમાં પહેલાંથી જ 400 મિલિયન+યૂઝર છે જે દરરોજ સહકર્મીઓ, મિત્રો એપનો લાભ ઉઠાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

WhatsApp ભારતમાં યૂઝર્સને આપશે આટલા પૈસા
રોયટર્સના એક રિપોર્ટ અનુસાર વોટ્સએપ પોતાના પ્લેટફોર્મ પર ટ્રાંજેક્શન કરવા માટે યૂઝર્સને કેશબેકના રૂપમાં 33 રૂપિયા સુધી ઓફર કરવા માટે તૈયાર છે. વોટ્સએપનો ઉપયોગ કરી યૂઝર્સ ચેટ વિંડો વડે સીધા પોતાના કોન્ટેક્ટ્સને પૈસા મોકલી શકે છે. 


1 રૂપિયો પણ સેન્ડ કરશો તો મળશે કેશબેક
વોટ્સએપ વડે આ કેશબેકને પ્રાપ્ત કરવા માટે યૂઝર્સને કેટલા પૈસા મોકલવા પડશે. તેની કોઇ ન્યૂનતમ સીમા નહી હોય. પ્રોત્સાહન ત્રણ ટ્રાંજેક્શનમાં ફેલાવવામાં આવશે. ભલે તે ઉપયોગકર્તા વોટ્સએપ પેથી અન્ય યૂઝર્સને 1 રૂપિયો પણ મોકલશે તો તે ટ્રાંજેક્શન માટે પાત્ર રહેશે. 


વોટસએપ મોટાભાગે ઓનલાઇન ચૂકવણી માટે યૂઝર્સ અધિગ્રહણને પ્રોત્સાહન આપવા અને લોકોને જાગૃત કરવા માટે છે તે તેના પ્લેટફોર્મના માધ્યમથી લેણદેણ કરી શકે છે. કાઉન્ટર પોઇન્ટ રિસર્ચના ઉપાધ્યક્ષ, નીલ શાહે કહ્યું કે જોકે આ રકમ એટલી મોટી નથી, તેમછતાં પણ ઘણા ભારતીયોને ચૂકવણી કરવા માટે પ્લેટફોર્મને વોટ્સએપ પર સ્વિચ કરવા માટે પર્યાપ્ત કારણ આપશે. કંપનીએ રોયટર્સને જણાવ્યું કે આ કેશબેક અભિયાનને તબક્કાવાર રીતે ચલાવવામાં આવી રહ્યું છે જેથી વોટ્સએપ પર ચૂકવણીની સંભાવનાઓને અનલોક કરી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલીવાર નથી જ્યારે Whatsapp યૂઝર્સને કેશબેક ઓફર કરી રહ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube