નવલખી મેદાન પર સામુહિક દુષ્કર્મનો મામલે કિશન માથાસૂરિયા અને જશો સોલંકીને હરણી પોલીસ મથકથી ઓળખ પરેડ માટે લઇ જવાયા હતા. ક્રાઇમ બ્રાન્ચ પોલીસ અને એસ.આર.પીની સુરક્ષા સાથે બળાત્કારીઓને લઈ જવાયા હતા. એન.જી.ઓ પીડિતાને લઈ નર્મદા ભુવન પહોંચી હતી. મેજિસ્ટ્રેટ સામે બળાત્કારીઓની ઓળખ પરેડની કાર્યવાહી શરૂ કરાઇ હતી. નર્મદા ભુવન ઓળખ પરેડ માટે આરોપીઓને લવાયા હતા.