રાજ્યભરમાં અનેક જગ્યાઓથી રખડતા ઢોરના અહેવાલ આવી રહ્યા છે ત્યારે આ લિસ્ટમાં જામનગરનું પણ નામ સામેલ થઈ ગયું છે. જામનગરમાં ઢોરના ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. શહેરના મુખ્ય માર્ગો તેમજ સર્કલમાં ઠેરઠેર રસ્તા વચ્ચે, શેરી ગલીઓમાં રખડતા ઢોરના કારણે અકસ્માતની ઘટનાઓ પણ બને છે. સાથે જ શાળાએ જતા બાળકોને પણ ભારે હાલાકી વેઠવી પડે છે. સમગ્ર મામલે શહેરીજનોએ ઝી 24 કલાક સાથે ખાસ વાત કરી અને તેમની વ્યથા જણાવી હતી.