નિત્યાનંદ આશ્રમ વિવાદ મામલે ચર્ચામાં આવેલી હાથીજણ સ્થિત DPS ઇસ્ટની માન્યતા CBSE દ્વારા રદ કરવામાં આવી છે. ત્યારે આજે કલેક્ટર દ્વારા આશ્રમ ખાલી કરાવવામાં આવ્યો છે. જોકે, શાળાના સંકુલમાં ધમધમી રહેલા ગેરકાયદેસર બાંધકામ પર બૂલડોઝર ફરી વળશે. જેને લઇને શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને શાળાએ ન મોકલવા જાણ કરવામાં આવી હતી. જેને લઇને સંચાલકો સામે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.