એડિટર્સ પોઈન્ટમાં... આજે વાત કરીશું જગતના તાતની મહામહેનત પર પાણી ફેરવતા એક એવા મુદ્દાની જેની ચર્ચા આજકાલ ખૂબ થઈ રહી છે.. મગફળી કૌભાંડ... સરકારે તો ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરીને ખેડૂતોને રાહતના સમાચાર આપ્યા... પરંતુ ખરીદી કરવામાં કોન્ટ્રાક્ટ પર રાખેલા લોકોએ સરકારની રાહતને આફતમાં ફેરવી.. જેના કારણે ખેડૂતોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે...સરકાર આવા કૌભાંડીઓ સામે કડકમાં કડક પગલાં લેવાની વાતો તો કરે છે પરંતુ કૌભાંડીઓને તેની કોઈ પરવા ન હોવાનું સામે આવ્યું છે... કેવી રીતે મગફળીમાં થઈ રહ્યો છે ભ્રષ્ટાચાર?