એડિટર્સ પોઈન્ટમાં આજે વાત કરીશું આમ જનતાને પરેશાન એક એવા મુદ્દાની જેની ચર્ચા આજકાલ ખૂબ થઈ રહી છે. આ મુદ્દો છે ભ્રષ્ટાચારનો. વહીવટી તંત્રમાં કેવી રીતે આ બદી ફેલાયેલી છે? કયો સરકારી વિભાગ સૌથી વધુ લાંચ લેવામાં મોખરે છે? આમ જનતા પોતાનું કામ લઈને જાય ત્યારે કેવા અવરોધ આવે છે? કેમ જનતાના પ્રતિનિધિઓને પણ સરકારી બાબુઓ ગાંઠતા નથી? ભ્રષ્ટાચારથી આઝાદી માટે ગુજરાત કેવી લડાઈ લડી રહ્યું છે?