શહેરના આંબાવાડી વિસ્તારમાં એક સગીરાની હત્યાને હજુ ૨૪ કલાક પણ પૂરા થયા નથી ત્યારે મોડી રાત્રે ઇસનપુરના મિલ્લતનગરમાં રહેતા બે ભાઇઓએ યુવકની તેની માતાની નજર સામે જ ઘાતકી હત્યા કરી છે. મરનાર યુવક માનસિક બીમાર હતો અને છેલ્લાં બે વર્ષથી બે ભાઇઓ તેમજ અન્ય લોકોને બીભત્સ ગાળો બોલતો હતો. જેના કારણે ઉશ્કેરાયેલા ભાઈઓએ યુવકને રહેંસી નાખ્યો હતો.