ભૂજના નોબતવાદક શૈલેષ જાની દ્વારા પુલવામામાં શહીદ થયેલા જવાનોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 31 કલાક અવિરત નોબત મહામૃત્યુંજ્યના જાપ અને મંત્રોચ્ચાર સાથે કચ્છના નામી-અનામી કલાકારો જોડાયા હતા. શહીદ જવાનો માટે કાર્યક્રમમાં દાન પણ એકત્રિત કરાશે. આ કાર્યક્રમમાં જાણીતા લોકગાયક ઓસમાણ મીરે પણ ગીતસંગીત રજૂ કર્યું હતું.