ગત ચોમાસામાં અતિવૃષ્ટિ જેવા માહોલ બાદ કમોસમી વરસાદે ખેડૂતોના સારા પાક પરની આશા પણ પાણી ફેરવી દીધું હતું. જેમાં ભાવનગર જીલ્લાના તમામ તાલુકાઓ પ્રભાવિત થયા હતા. રાજ્ય સરકારે સહાય પેકેજનું વિતરણ અને સાથે સાથે પાકવીમાની ચુકવણી હાથ ધરી છે પરંતુ હજુ અનેક ખેડૂતોને તેનો પાક વીમો ના મળતા તેઓ વહેલીં તકે પાકવીમો મેળે તેવી માંગ કરી રહ્યા છે.