કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિ બેંકોના એકત્રિકરણ અને તેના દ્વારા વિનિવેશ લાગુ કરવાની પેરવીના આક્ષેપ સાથે બેંક સંગઠનોએ મંગળવારે એક દિવસીય હડતાલનું એલાન આપ્યું હતું. બેંકોના વિલિનિકરણથી અસંખ્ય બેંકો બંધ થશે અને તેના દ્વારા અનેક કર્મચારીઓ બેરોજગાર બનશે સરકાર આ નિર્ણય પાછો ખેંચે એવી માગણી સાથે બેંક કર્મચારી સંગઠન દ્વારા મંગળવારે દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. આ મામલે આખા રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.