વસંત પંચમીનાં દિવસને શુભ માનવામાં આવે છે. એટલા માટે જ રાજકોટનાં સત્તરમાં ઠાકોર સાહેબ તરીકે માંધાતાસિંહ જાડેજાની રાજતિલક વિધી કરવામાં આવશે. આઝાદી પછી દેશનાં ઇતિહાસમાં પ્રથમ વખત ભવ્ય રાજ્યાભિષેક અને રાજતિલક વિધીનો કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે. જેમાં રાજસુઇ યજ્ઞમાં દેશભરનાં બ્રાહ્મણોમાં આહુતિ આપશે અને ત્યારબાદ રાજાની રાજતિલક વિધી સંપન્ન કરવામાં આવશે.