લોકસભાની ચૂંટણી પહેલા શંકરસિંહ સક્રિય થઈ ગયા છે. તમામ સમાજના પ્રશ્નોને લઈને તેમણે આજે ખેડામાં સંમેલન યોજ્યું હતું. જેમાં તેમણે સરકાર પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ યાત્રાધામ ફાગવેલ ખાતે ભર્યું બક્ષીપંચ સંમેલન બાદ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પર બનેલી ફિલ્મ અંગે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફિલ્મ સ્ટાર અનુપમ ખેરની કોઈ પૂછડી પૂછતું નથી. મનમોહનસિંહ જેવા નેતાનો રોલ કરવાની અનુપમ ખેરની કોઈ ક્ષમતા નથી.