વેરાવળ કોમ્યુનીટી હોલ સામે સરકાર દ્રારા 432 જેટલા આવાસો 2017 ના નવેમ્બર માં ગરીબ લોકો ને સોપાયા ત્યારે 432 પરીવાર ના 1500 જેટલા લોકો ખુશખુશાલ હતા,,પરંતુ એકજ વર્ષ માં આ આવાસ માં ગટરો ની અણ આવડત ના કારણે તમામ સેફ્ટી નું અને ગટર નું પાણી અંદર જ ભરાય છે.જે બહાર જતુંજ નથી જેથી આ આવાસ નર્કાગાર બન્યા છે પરીણામે અનેક રોગો ઘરેઘરે વ્યાપ્યા છે અનેક રજુવાતો બહેરા કાને અથડાય છે પરંતુ આ આવાસ ના રહીશો નું કોઈ સાંભળવા તૈયાર જ નથી લોકો તાકીદે આ સમસ્યા નો ઊકેલ ઈચ્છી રહ્યા છે.તમામ ટેક્ષ ઊઘરાવાય છે પણ સુવીધા આપવા માં તંત્ર નીદ્રાધીન હોવા નો સ્થાનીકો આક્ષેપ કરી રહ્યા છે.