પાટણમાં ઝી 24 કલાક ચેનલ અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ઝી 24 કલાકના અહેવાલ બાદ નર્મદા તત્ર દોડતું થયું છે. સાંતલપુર તાલુકાના મઢુત્રા ગામના ખેડૂતોની વ્હારે ઝી 24 કલાક આવ્યું છે. મઢુંત્રા ગામમાં નર્મદાની માઈનીર કેનાલમાં ભ્રષ્ટાચારના ગાબડાને લઈ અહેવાલ પ્રસારિત કરાયો હતો.