કેરી ખાધા બાદ આપણે ગોટલીઓ ફેંકી દઇએ છીએ. પરંતુ નવસારીના અબ્રામા ગામના મહિલા ખેડૂતે ગોટલીનો સદુપયોગ કરી અને તેમાં રહેલા વિટામિન B12 સહિતના આયુર્વેદ ગુણધર્મોને ધ્યાનમાં લઈ મુખવાસ બનાવ્યો.