સોમવારનો દિવસ જેટલો ઐતિહાસિક છે તેટલો જ 1992ની 24 જાન્યુઆરીનો દિવસ પણ ઐતિહાસિક હતો.. આજથી 27 વરસ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુરલી મનોહર જોશી સાથે શ્રીનગરના લાલચોક પહોંચ્યા હતા. આતંકીઓનુ જોર ચરમસીમાએ હતુ. લાલ ચોક પર રાષ્ટ્રધ્વજ ફરકાવી બતાવા મોદી સહિતના નેતાઓને પડકાર ફેંકાયો હતો. મોદીએ એ વખતે પ૬ની છાતી બતાવી બાકાયદા લાલ ચોક પર રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો હતો. તિરંગો લહેરાવતા પહેલા બે એક દિવસ પહેલા આતંકીઓને લલકારભર્યુ ભાષણ પણ કર્યુ હતુ.સોશિયલ મીડિયા પર તે વખતનો વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યો છે..