ઉતરાયણનો તહેવાર પતંગ રસિયાઓ માટે ઉમંગ અને ઉત્સાહનો તહેવાર છે. સમગ્ર ગુજરાતમાં પતંગ રસિયાઓ દ્વારા ધૂમધામથી ઉતરાયણનો તહેવાર મનાવવામાં આવે છે. ત્યારે પતંગ રસિયાઓ માટે આ વખતે સારા સમાચાર છે. આ વખતે ઉત્તરાયણના દિવસે 15થી 20 કિમીની ઝડપે પવન ફૂંકાશે.