માત્ર ઉપર છલ્લા સમાચારો નહી પરંતુ સમાચારનું સચોટ વિશ્લેષણ X RAY...
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન(ઈસરો)એ આજે બપોરે 2.43 કલાકે ચંદ્ર પર સંશોધન કરવા માટેનું ચંદ્રયાન-2 સફળતાપૂર્વક લોન્ચ કરી દીધું છે. ચંદ્રયાન-2 સફળતાપૂર્વક પ્રૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે અને ત્યાંથી હવે તે ચંદ્ર સુધીની મુસાફરી શરૂ કરશે. ઈસરોએ 44 મીટર લાંબા અને 640 ટન વજન ધરાવતા જિયોસિન્ક્રોનસ સેટેલાઈન્ટ લોન્ચ વ્હિકલ માર્ક-3ની મદદથી ચંદ્રયાન-2 લોન્ચ કર્યું છે, ઈસરોએ આ રોકેટને બાહુબલી નામ આપ્યું છે. ઈસરોના વડા સિવને પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, ચંદ્રયાન-2નું પ્રક્ષેપણ સફળ રહ્યું છે અને હવે તે 48 દિવસની મુસાફરી પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. ચંદ્રયાન સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. રોકેટનું નામ `બાહુબલી` શા માટે? થોડા સમય પહેલા ભારતમાં `બાહુબલી` ફિલ્મે સફળતાના ડંકા વગાડ્યા હતા. આ ફિલ્મમાં હીરો વિશાળ અને ભારેભરખમ શિવલિંગ ઊંચકીને તેને એક પર્વત પર સ્થાપે છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-2ને લઈ જનારા GSLV MK-III રોકેટનું નામ `બાહુબલી` રાખવામાં આવ્યું છે. જેવી રીતે બાહુબલી ફિલ્મમાં હીરો શિવલિંગ ઊંચકે છે, એવી રીતે આ રોકેટ 3.8 ટન વજન ધરાવતા ચંદ્રયાન-2ને ઊંચકીને અંતરિક્ષમાં લઈ ગયું છે. આ કારણે જ ઈસરો દ્વારા તેનું નામ `બાહુબલી` રાખવામાં આવ્યું છે. 978 કરોડનો ખર્ચ ચંદ્રયાન-2ના લોન્ચ પાછળ ઈસરોએ કુલ 978 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ચંદ્રયાન-2 603 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને તેને લઈ જનારું રોકેટ GSLV Mk-III રૂ.375 કરોડની કિંમતનું છે. ભારત 2022ના તેના સમાનવ મિશન `ગગનયાન`માં પણ આ જ રોકેટનો ઉપયોગ કરવાનું છે. ભારતનું ચંદ્રયાન-2 મિશન દુનિયાના અન્ય દેશો દ્વારા કરવામાં આવેલા મિશનની સરખામણીએ અત્યંત સંસ્તું છે અને તેને સંપૂર્ણપણે સ્વદેશમાં જ તૈયાર કરાયું છે. એટલે કે, તેમાં એક પણ વિદેશી વસ્તુનો ઉપયોગ કરાયો નથી.
રોકેટનું નામ 'બાહુબલી' શા માટે? થોડા સમય પહેલા ભારતમાં 'બાહુબલી' ફિલ્મે સફળતાના ડંકા વગાડ્યા હતા. આ ફિલ્મમાં હીરો વિશાળ અને ભારેભરખમ શિવલિંગ ઊંચકીને તેને એક પર્વત પર સ્થાપે છે. ઈસરો દ્વારા ચંદ્રયાન-2ને લઈ જનારા GSLV MK-III રોકેટનું નામ 'બાહુબલી' રાખવામાં આવ્યું છે. જેવી રીતે બાહુબલી ફિલ્મમાં હીરો શિવલિંગ ઊંચકે છે, એવી રીતે આ રોકેટ 3.8 ટન વજન ધરાવતા ચંદ્રયાન-2ને ઊંચકીને અંતરિક્ષમાં લઈ ગયું છે. આ કારણે જ ઈસરો દ્વારા તેનું નામ 'બાહુબલી' રાખવામાં આવ્યું છે.
978 કરોડનો ખર્ચ ચંદ્રયાન-2ના લોન્ચ પાછળ ઈસરોએ કુલ 978 કરોડનો ખર્ચ કર્યો છે. જેમાં ચંદ્રયાન-2 603 કરોડના ખર્ચે તૈયાર થયું છે અને તેને લઈ જનારું રોકેટ GSLV Mk-III રૂ.375 કરોડની કિંમતનું છે. ભારત 2022ના તેના સમાનવ મિશન 'ગગનયાન'માં પણ આ જ રોકેટનો ઉપયોગ કરવાનું છે. ભારતનું ચંદ્રયાન-2 મિશન દુનિયાના અન્ય દેશો દ્વારા કરવામાં આવેલા મિશનની સરખામણીએ અત્યંત સંસ્તું છે અને તેને સંપૂર્ણપણે સ્વદેશમાં જ તૈયાર કરાયું છે. એટલે કે, તેમાં એક પણ વિદેશી વસ્તુનો ઉપયોગ કરાયો નથી.