ખાર્તૂમ: સુદાન (Sudan) માં સિરામિક ફેક્ટરીમાં એલપીજી ટેન્કર વિસ્ફોટ (Blast) અને ત્યારબાદ લાગેલી આગ (fire) ના કારણે 23 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોમાં 18 જેટલા ભારતીયો છે. ઘટનામાં 130થી વધુ લોકો ઘાયલ થયા છે. વિદેશ મંત્રી એસ જયશંકરે (Dr. S. Jaishankar ) પણ ઘટના અંગેના અહેવાલને સત્તાવાર સમર્થન આપતા ઈમરજન્સી નંબરો જાહેર કર્યા છે. આ બાજુ સૂદાનમાં ભારતીય દૂતાવાસે બુધવારે જણાવ્યું કે ખાર્તૂમમાં સીલા સિરામિક ફેક્ટરીમાં ઘટેલી  દુર્ઘટના બાદ 16 ભારતીયો ગુમ છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube