વોશિંગ્ટન: ભારત-ચીન સરહદ વિવાદ પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મહત્વનું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે મધ્યસ્થતાની પોતાની ઓફર ફરીથી દોહરાવતા કહ્યું કે આ મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સારા મૂડમાં નથી. અમેરિકી રાષ્ટ્રપતિએ કહ્યું કે બંને દેશો વચ્ચે તણાવ બાદ આ મોટા વિવાદ પર તેમણે પીએમ મોદી સાથે વાત કરી છે. ટ્રમ્પે વ્હાઈટ હાઉસ સ્થિત ઓવલ ઓફિસમાં મીડિયાના સવાલોના જવાબ આપતા આ વાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે ચીનને પોતાની ચાલાકી પડશે ભારે, ભારતે તમામ મોરચે કરી છે જબરદસ્ત તૈયારીઓ


'ભારત-ચીન વચ્ચે મોટું ઘર્ષણ, બંને ખુશ નથી'
ટ્રમ્પે આ દરમિયાન ભારત-ચીન સરહદ વિવાદનો ઉલ્લેખ કરતા કહ્યું કે, 'ભારત અને ચીન વચ્ચે એક મોટું ઘર્ષણ ચાલી રહ્યું છે. હું તમારા પ્રધાનમંત્રી (નરેન્દ્ર મોદી)ને ખુબ પસંદ કરું છું. તેઓ એક મહાન જેન્ટલમેન છે. ભારત-ચીન વચ્ચે મોટો વિવાદ છે. બંને દેશો પાસે લગભગ 1.4 અબજ વસ્તી છે. બંને દેશોની સેનાઓ ખુબ શક્તિશાળી છે. ભારત ખુશ નથી અને શક્ય છે કે ચીન પણ ખુશ નથી.'


સરહદ વિવાદમાં મધ્યસ્થા પર ટ્રમ્પની ઓફરને ભારતની ના, વિદેશ મંત્રાલયે કહ્યું- ચીન સાથે વાતચીત ચાલુ


અનુશાસનનું પ્રદર્શન, સંપ્રભુતા સાથે સમાધાન નહીં-ભારત
વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઓનલાઈન પ્રેસ બ્રિફિંગમાં કહ્યું કે, 'ભારતીય સૈનિકોએ બોર્ડર મેનેજમેન્ટનું મોટી જવાબદારી સાથે સન્માન કર્યું છે. તેમણે કહ્યું કે ભારતી સૈનિકો સમસ્યાના ઉકેલ માટે ચીન સાથે થયેલા દ્વિપક્ષીય સંધિઓ હેઠળ નિર્ધારિત પ્રક્રિયાઓનું કડકાઈથી પાલન કરી રહ્યાં છે.'


તેમણે કહ્યું કે ભારતીય સશસ્ત્ર દળો સરહદ મેનેજમેન્ટને લઈને (ભારત-ચીન) રાષ્ટ્રાધ્યક્ષો વચ્ચે થયેલી સહમતિ અને તેમના તરફથી નિર્ધારિત દિશા-નિર્દેશોનું ખુબ ઝીણવટપૂર્વક પાલન કરે છે. જો કે તેમણે ફરીથી સ્પષ્ટ કર્યું કે 'અનુશાસનનું પ્રદર્શન કરતા સંપ્રભુતાની રક્ષા સાથે કોઈ સમાધાન નહીં થાય. પ્રવક્તાએ કહ્યું કે અમે ભારતની સંપ્રભુતા અડીખમ રાખવા પ્રત્યે અમારા સંકલ્પમાં અડગ છીએ.'


જુઓ LIVE TV


લદાખ તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube