કાહિરા: સુએઝ કેનાલમાં છેલ્લા 6 દિવસથી ફસાયેલું વિશાળકાય માલવાહક જહાજ એવર ગિવન આખરે બહાર નીકળી ગયું છે અને ધીરે ધીરે પોતાની મંજિલ તરફ આગળ વધી રહ્યું છે. કહેવાય છે કે સોમવારે સ્થાનિક સમય મુજબ સવારે 4.30 વાગે આ માલવાહક જહાજ બહાર નીકળ્યું. કન્ટેનરશિપ એવર ગિવનના બહાર નીકળવાથી આખી દુનિયાએ રાહતના શ્વાસ લીધા છે. આ અગાઉ સુએઝ કેનાલમાં ફસાયેલા આ વિશાળકાય જહાજને હટાવવાના કામમાં બે ખાસ નૌકાઓ કામે લગાડવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એશિયા અને યુરોપ વચ્ચે માલની હેરફેર કરનારું પનામાના ધ્વજવાળું એવર ગિવન નામનું વિશાળ જહાજ ગત મંગળવારે આ નહેરમાં ફસાઈ ગયું હતું. ત્યારથી અધિકારીઓ જહાજને બહાર કાઢવામાં અને જળમાર્ગને જામથી મુક્ત કરવાની જદ્દોજહેમત કરી રહ્યા હતા. આકરી મહેનત બાદ હવે જહાજને બહાર કાઢવામાં સફળતા મળી છે. એવર ગિવન જહાજને 25 ભારતીયો ચલાવી રહ્યા છે. તમામ ભારતીય ક્રુ મેમ્બર્સ સંપૂર્ણ રીતે સુરક્ષિત હોવાનું કહેવાય છે. 193.3 કિલોમીટર લાંબી સુએઝ નહેર ભૂમધ્ય સાગરને લાલ સાગર સાથે જોડે છે. આ રસ્તે દુનિયાના  લગભગ 30 ટકા શિપિંગ કન્ટેનર પસાર થાય છે. સમગ્ર દુનિયાના 12 ટકા સામાનની હેરફેર પણ આ નહેર દ્વારા થાય છે. 


PHOTOS: 3 વર્ષના બાળકને રખડતા કૂતરા 50 મીટર સુધી ખેંચી ગયા, પેટના આંતરડા બહાર આવી ગયા
 

Suez Canal News: નહેરમાં એક જહાજ ફસાઈ જવાથી આખી દુનિયાની અર્થવ્યવસ્થા પર અસર, જાણો ભારતની સ્થિતિ


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube