નવી દિલ્હી: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરમાં ફાયરિંગના ઘટનાએ હાહાકાર મચાવી દીધો છે. શુક્રવારે હેગલી પાર્ક વિસ્તારની અલ નૂર મસ્જિદ સહિત બે મસ્જિદોમાં હુમલાખોરે ફાયરિંગ કર્યું. ન્યૂઝીલેન્ડ પોલીસ કમિશનર માઈક બુશે આ હુમલામાં અત્યાર સુધી 49 લોકોના મોત થયા હોવાની પુષ્ટિ કરી છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને આજના દિવસને કાળો દિવસ ગણાવ્યો છે. પીએમએ સ્વીકાર્યું છે કે આ એક આતંકી હુમલો છે. જેનું અગાઉથી પ્લાનિંગ  કરવામાં આવ્યું હતું. બે વાહનોથી વિસ્ફોટકો પણ મળી આવ્યાં છે. જેમને નિષ્ક્રિય કરી નાખવામાં આવ્યાં છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...