નવી દિલ્હી:કોવિડ-19 (Covid 19) ને હરાવવામાં દુનિયાભરમાં ચાલી રહેલી કોશિશોને એક મોટો ઝટકો મળ્યો છે. આ મહામારીની સારવાર માટે બનાવવામાં આવેલી દવાઓમાં ચાર દવાઓ બેકાર સાબિત થઈ છે. સ્ટડીમાં જાણવા મળ્યું છે કે સારવારમાં ઉપયોગમાં લેવાઈ રહેલી દવાઓ- રેમડેસિવિર, હાઈડ્રોક્સીક્લોરોક્વીન, લોપિનાવિર/રિટોનાવિર અને ઈન્ટરફેરોનની કોવિડ-19ના દર્દીઓ પર કાં તો એકદમ ઓછી અસર થઈ છે અથવા તો બિલકુલ કારગર સાબિત થઈ નથી. પીટીઆઈના અહેવાલ મુજબ WHOએ પોતાના છ મહિના લાંબા ચાલેલા એક ઈન્ટીગ્રેટેડ મેડિકલ સાયન્સ ટેસ્ટના રિઝલ્ટની જાહેરાત કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus Vaccine: સ્વસ્થ લોકોએ વર્ષ 2022 સુધી જોવી પડશે વેક્સિનની રાહઃ WHO


વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)નું કહેવું છે કે કોવિડ-19ની સારવારને લઈને દુનિયાભરમાં મોટા પાયે કરાયેલા અલગ અલગ અભ્યાસથી એક વાતના 'નિર્ણાયક પુરાવા' મળ્યા છે કે ગંભીર રીતે ઘાયલ દર્દીઓ પર રેમડેસિવિર દવાનો ખુબ જ ઓછો પ્રભાવ કે બિલકુલ કારગર સાબિત થઈ નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બીમાર પડ્યા તો તેમના ઉપચાર માટે આ દવાનો ઉપયોગ કરાયો હતો. આ દવાઓના ટેસ્ટનો હેતુ એ જાણવાનો હતો કે હાલ ઉપલબ્ધ દવાઓ કોરોના વાયરસ સંક્રમણની સારવારમાં કેટલી પ્રભાવી સાબિત થઈ શકે છે. 


Xi Jinping કોરોનાની ઝપેટમાં? મંચ પર એવું કઈંક થયું કે હાજર તમામ લોકો ભયંકર દહેશતમાં


અમેરિકાએ મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાતી રેમડેસિવિર દવાને વિશેષ પરિસ્થિતિઓમાં કોવિડ-19ની સારવાર માટે ઉપયોગમાં લેવા કેટેગરાઈઝ કરી છે. આ સાથે બ્રિટન અને યુરોપિય સંઘે પણ કોરોના વાયરસ સંક્રમણની સારવાર માટે આ દવાને મંજૂરી આપી છે. 


પેરિસ: શિક્ષકનું માથું વાઢી નાખનારા હુમલાખોર વિશે થયો ચોંકાવનારો ખુલાસો


ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માર્ટિન લેન્ડ્રેએ કહ્યું કે હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને લોપિનાવિર વિશે WHO તરફથી કરાયેલા અભ્યાસના પરિણામ લગભગ એ જ દિશામાં છે, જેવા બ્રિટનમાં કરાયેલા અભ્યાસમાં સામે આવ્યા હતાં. તેમણે એક નિવેદનમાં કહ્યું કે WHOના અભ્યાસમાં એક ખાસ વાત સામે આવી. જાણવા મળ્યું કે કોવિડ-19ની સારવારમાં રેમડેસિવિરનો કોઈ ખાસ પ્રભાવ નથી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube