ઈસ્લામાબાદ: પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને આજે પોતાના ભારતીય સમકક્ષ પીએમ નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને કહ્યું કે, કાશ્મીર મુદ્દા સહિત તમામ સમાધાન યોગ્ય સમસ્યાઓના સમાધાન માટે પાકિસ્તાન ભારત સાથે વાર્તા કરવા માંગે છે. હકીકતમાં એક દિવસ પહેલા જ ભારતે કહ્યું હતું કે, બિશકેકમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર બેઠક સિવાય આ બંને નેતાઓ વચ્ચે કોઈ દ્વિપક્ષીય બેઠક યોજાશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દુબઈ બસ અકસ્માતમાં 12 ભારતીયોના મોત, મૃતકોની સૂચિ જાહેર કરાઈ


ભારતના વડાપ્રધાન પદ પર બીજા કાર્યકાળ બદલ પીએમ મોદીને શુભેચ્છાઓ પાઠવતા ખાને પત્રમાં કહ્યું  કે બંને રાષ્ટ્રો વચ્ચે વાર્તા જ બંને દેશોના લોકોને ગરીબીમાંથી બહાર કાઢવામાં મદદ કરવાનું એકમાત્ર સમાધાન છે તથા તે માટે એ જરૂરી છે કે ક્ષેત્રીય વિકાસ માટે સાથે મળીને કામ કરવામાં આવે. જિયો ટીવીના અહેવાલમાં આ જણાવાયું છે. 


ખાને કહ્યું કે પાકિસ્તાન કાશ્મીર મુદ્દા સહિત તમામ સમસ્યાઓનું સમાધાન ઈચ્છે છે. મોદી સત્તામાં પાછા ફર્યા બાદ આવું બીજીવાર બન્યું છે કે પાકિસ્તાનના વડાપ્રધાને બંને દેશોના લોકોના ભલા માટે ભારત સાથે મળીને કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે.


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...