સંયુક્ત રાષ્ટ્રો: ભારતે પોતાના અત્યાર સુધીના વલણમાં ઐતિહાસિક બદલાવ લાવીને સંયુક્ત રાષ્ટ્રની આર્થિક અને સામાજિક પરિષદમાં ઈઝરાયેલના એક પ્રસ્તાવના સમર્થનમાં વોટિંગ કર્યું છે. ઈઝરાયેલી પ્રસ્તાવમાં પેલેસ્ટાઈનના એક બિન સરકારી સંગઠન 'શહીદ'ને સલાહકારનો દરજ્જો આપવા બદલ આપત્તિ વ્યક્ત કરાઈ હતી. ઈઝરાયેલે કહ્યું કે સંગઠને હમાસ સાથેના પોતાના સંબંધોનો ખુલાસો કર્યો નથી. આખરે સંગઠનને સંયુક્ત રાષ્ટ્રમાં પર્યવેક્ષકનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ઉડી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પાકિસ્તાન PM મોદી માટે પોતાનો એર સ્પેસ તો ખોલશે, પરંતુ સાથે આપ્યું આ નિવેદન 


આ બાજુ દિલ્હીમાં તહેનાત ઈઝરાયેલના રાજનયિક માયા કડોશે સમર્થનમાં મત આપવા બદલ ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે, 'ઈઝરાયેલની પડખે રહેવા અને આતંકી સંગઠન શહીદને સંયુક્ત રાષ્ટ્રના પર્યવેક્ષકનો દરજ્જો આપવાની અપીલને ફગાવવા બદલ ભારતનો આભાર. અમે સાથે મળીને આતંકી સંગઠન વિરુદ્ધ કામ કરતા રહીશું, જે સંગઠનોનો હેતુ નુકસાન પહોંચાડવાનો છે.'


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...