Japan Johatsu Tradition: ભારતમાં લોકો જીવનમાં પરેશાન થઈને મોટાભાગે હિમાલય કે પછી એવી જગ્યાએ જવાની વાત કરે છે જ્યાં કોઈ તેમને જાણતું ન હોય. જેથી કરીને તેઓ શાંતિથી લાઈફ જીવી શકે. પરંતુ શું તમને ખબર છે કે એક દેશ એવો પણ છે જે ભારતની આ થીમને દાયકાઓથી ફોલો કરી રહ્યો છે. આ દેશનું નામ જાપાન છે. જ્યાં ઘર છોડીને ગાયબ થનારા લોકોને જોહાત્સુ કહે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જોહાત્સુનો અર્થ
જાપાની ભાષામાં જોહાત્સુનો અર્થ હોય છે વરાળ બનીને ઉડી જવું. અહીં લોકો પરિવાર કે નોકરીથી કંટાળીને અચાનક ગાયબ થઈ જાય છે. જો કે આ લોકો પોતાના જીવનનો અંત નથી આણતા. તેઓ પોતાના જીવનને નુકસાન પહોંચાડવાની જગ્યાએ એક નવા જીવનની શરૂઆત કરે છે. આ કામ માટે હવે કેટલીક પ્રાઈવેટ કંપનીઓ મદદગાર બને છે જે એક નિર્ધારિત ફી લઈને લોકોને વરાળની જેમ ગાયબ થવામાં મદદ કરે છે. 


પાછા નથી ફરતા
જોહાત્સુ એટલે કે એવા લોકો કે જે રોજબરોજની જેમ ઘરેથી નોકરીએ કે પછી પોતાની દુકાને જવા માટે નીકળ્યા હોય પછી કોઈ કારણસર તેઓ પાછા ફરતા નથી. આ રીતે ગાયબ થઈ જતા લોકોને જાપાનમાં જોહાત્સુ કહે છે. મોટાભાગના કેસોમાં જોવા મળ્યું છે કે જ્યારે પરિવારજનો ખુબ શોધે પરંતુ આમ છતાં કોઈ ભાળ ન મળે. લોકોના આમ અચાનક ગાયબ થવા પાછળનું કારણ પરિવારના લોકો, નોકરીનો તણાવ કે પછી ભારે દેવું હોય છે. આવી સ્થિતિઓમાં લોકો ગાયબ થવાનો નિર્ણય લઈ લે છે. 


ઉડતા પ્લેનમાં શર્ટલેસ મુસાફરે અન્ય મુસાફરને રોતા રોતા માર્યા મુક્કા, જુઓ Video


Viral News: અહીં ટ્રેનોમાં પેન્ટ પહેર્યા વગર ચડી ગઈ મહિલાઓ, કારણ જાણીને નવાઈ લાગશે


દારૂ થોડો પીવામાં તો કોઈ વાંધો નથી...જો એવું સમજતા હોવ તો સાવધાન...


કારણ હંમેશા નેગેટિવ પણ નથી
આ કામને પ્રોફેશન બનાવતા લોકો કહે છે કે ગાયબ થવાનું કારણ હંમેશા નકારાત્મક હોતું નથી. અનેકવાર લોકો નવી નોકરી શરૂ કરવા કે પછી લગ્ન કરવા માટે આવું કરે છે. એક જાપાની વેબસાઈટમાં પ્રકાશિત અહેવાલ મુજબ જોહાત્સુ પર અનેક દાયકાઓ સુધી રિચર્સ કરનારા સમાજશાસ્ત્રી હિરોકી નાકામોરિકનું કહેવું છે કે આ શબ્દનો ઉપયોગ સૌથી પહેલા ગાયબ થનારા લોકો માટે 1960ના દાયકામાં થતો હતો. 


જુઓ લાઈવ ટીવી


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube