બેરૂતઃ વર્ષ 2020ની સૌથી મોટી દુર્ઘટનાઓમાંથી એક હતી લેબનાનની રાજધાની બેરૂતમાં થયેલા ધમાકા, આ ધમાકામાં 190થી વધુ લોકોના મૃત્યુ થયા હતા. હવે દેશની કોર્ટે કેરટેકર પ્રધાનમંત્રી હસન દિઆબ (Hassan Diab) અને તેમની સરકારના ત્રણ મંત્રીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બેરૂતમાં થયેલા ધમાકાએ વર્ષોથી ચાલી રહેલા સરકારી ભ્રષ્ટાચાર અને બેદરકારીના મુદ્દાને દુનિયાની સામે રાખી દીધા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પીએમ સિવાય નાણા મંત્રી અલી હસન ખલીલ, ગાજી જીટર અને યૂસુફ ફેનિયાનોસ વિરુદ્ધ બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમણે તપાસ દરમિયાન જણાવ્યું કે, બંદરોમાં વર્ષોથી પડેલ 2750 ટન અમોનિયમ નાઇટ્રેટ આ દુખદાયક ઘટનાનું કારણ હતું. જજ ફાદી સાવને પીએમને સવાલ કર્યો હતો કે પદ પર રહેતા તેમને કેટલા સમયથી વિસ્ફોટકો વિશે જાણકારી હતી અને કેમ તેમણે તેને હટાવવા માટે નિર્દેશ ન આપ્યા?


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube