કાઠમાંડુ: નેપાળ (Nepal) અને ભારત (India) વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ બાદથી જ બંન્ને દેશોમાં તણાવની સ્થિતી છે. બીજી તરફ વધારે એક સમાચાર તણાવ વધારવાનું કામ કરી રહી છે. નેપાળ અને ભારત વચ્ચે હંમેશાથી રોટી-બેટીનો સંબંધ રહ્યો છે, પરંતુ હવે આ સંબંધોમાં પણ દરાર આવી રહેલી દેખાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારત સરકાર ચીનની ગેમ કરશે ઓવર? મોદી સરકાર ટુંક સમયમાં લેશે મોટો નિર્ણય

નેપાળની સત્તારૂઢ પાર્ટી નેપાળી કમ્યુનિસ્ટ પાર્ટીનાં સચિવાલયની એક બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, હવે નેપાળી પુરૂષોની સાથે વિવાહ કરનારી વિદેશી મહિલાઓને લગ્નનાં સાત વર્ષ બાદ નેપાળની નાગરિકતા (CITIZENSHIP) આપવામાં આવશે. આ વિદેશી મહિલાઓ મોટે ભાગે ભારતીય જ હોય છે. એટલે કે હવે કોઇ મહિલા જો નેપાળી સાથે લગ્ન કરે તો તેણે નાગરિકતા મેળવવા માટે 7 વર્ષ રાહ જોવી પડશે. આ સાત વર્ષ સુધી નેપાળમાં ભારતીય મહિલાએ તમામ પ્રકારનાં રાજનીતિક અધિકારોથી વંચિત રાખવામાં આવશે. 


પુરી રથયાત્રાને સુપ્રીમ કોર્ટે મંજુરી આપી, લોકોનાં સ્વાસ્થ અંગે કહી મોટી વાત

હાલનાં નાગરિકતા અધિનિયમમાં સંશોધનનું બિલ રવિવારે સંસદમાં નોંધાયું છે. આ બિલમાં કહેવામાં આવ્યું છે કે, નાગરિકતા પ્રમાણપત્ર નહી હોવાની સ્થિતીમાં મહિલાઓને કોઇ પણ વ્યવસાયને ચલાવવા અને કોઇ પણ ચલ કે અચલ સંપત્તિ વેચવા કે ઉપયોગ કરવા, વ્યવાયના માધ્યમથી લાભ કમાવવા, કોઇ પ્રકારની સંપત્તીની લેવડ દેવડ કરી શકશે. 


મહારાષ્ટ્ર સરકારે ચીનને આપ્યો મોટો ઝટકો, 3 ચાઇનીઝ કંપની વિરૂદ્ધ કરી કાર્યવાહી

આ મહિલાઓ કંપની પણ ખોલી શકે છે, કારોબાર કરી શકે છે. પોતાનાં જન્મ, મૃત્યુ, વિવાહ, છુટાછેટા અને પ્રવાસન જેવી મહત્વપુર્ણ ઘટનાઓને નોંધાવીને કાયદા અનુસાર સ્થાપિત કોઇ પણ સંગઠન દ્વારા આપવામાં આવનારી છુટનો લાભ ઉઠાવી શકે છે. કોઇ પણ શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરી શકે છે. આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક અધિકારોનો ઉપયોગ કરી શકે છે અને રાષ્ટ્રીય ઓળખપત્ર પ્રાપ્ત કરવાની પણ હદકાર રહેશે.


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube