ઈસ્લામાબાદ: ભારતમાં નવી સરકાર બન્યા બાદ આ સરકાર સાથે પાકિસ્તાન જે પહેલું કામ પાર પાડવા માંગે છે તે છે કરતારપુર કોરિડોરનું કામ. નવી સરકાર આવ્યાં બાદ પાકિસ્તાન કરતારપુર કોરિડોર સંધિને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને દેશો વચ્ચે વાતચીત બહાલ કરવાના પક્ષમાં છે. પાકિસ્તાની મીડિયામાં આ આશયના અહેવાલો પ્રકાશિત થયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કરતારપુર કોરિડોર પાકિસ્તાનના નરોવાલ સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબને પંજાબના ગુરુદાસપુર સ્થિત ડેરાબાબા નાનક ગુરુદ્વારા સાથે જોડશે. કોરિડોર બન્યા બાદ ભારતીય સિખોને વગર વિઝાએ પાકિસ્તાન સ્થિત પોતાના પવિત્ર ગુરુદ્વારા સુધી જવાની મંજૂરી મળશે. 


ખુબ જ ડરામણો છે આ VIDEO, કાચાપોચા હ્રદયના લોકો પ્લિઝ ન જોતા


એક્સપ્રેસ ટ્રિબ્યુને સરકારી સૂત્રોને ટાંકીને રવિવારે પ્રકાશિત એક અહેવાલમાં જણાવ્યું છે કે ભારતમાં નવી સરકાર આવ્યાં બાદ પાકિસ્તાન કરતારપુર કોરિડોર પર ફરીથી વાતચીત શરૂ થવાને લઈને આશાવાદી છે. 


નોંધનીય છે કે ભારતમાં લોકસભા ચૂંટણી 2019 સાત તબક્કામાં 11મી એપ્રિલથી શરૂ થઈ છે. આ ચૂંટણી હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી છે. 19મી મેના રોજ છેલ્લા તબક્કાનું મતદાન છે અને 23મી મેના રોજ પરિણામો જાહેર થનારા છે. 


ઓળખ ગુપ્ત રાખવાની ભલામણ સાથે પાકિસ્તાનના એક અધિકારીએ જણાવ્યું કે તેમના દેશ તરફથી કોઈ વાર કરવામાં આવી રહી નથી. "હાલ ભારત આ મામલે આગળ વધવા માંગતુ નથી." 


જુઓ LIVE TV


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...