બોગોટા: કોલંબિયામાં શનિવારે એક ભીષણ વિમાન અકસ્માતમાં 12 લોકોના મોત થયા. મોડી રાતે નાગરિક સુરક્ષા કટોકટી સેવા તરફથી કરાયેલી ટ્વિટ મુજબ ધ ડગલાસ ડીસી 3 વિમાન, દેશની મધ્ય પૂર્વમાં દુર્ઘટનાગ્રસ્ત થયું. આ વિમાનમાં બે એન્જિન હતાં. અકસ્માતમાં 12 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 


ગુઆવિયારે-વિલ્લાવિસેન્સિયો વચ્ચે ઉડી રહ્યું હતું વિમાન
તેમણે એ પણ જણાવ્યું કે આ વિમાન જ્યારે સાન જોશ દેલ ગુઆવિયારે અને વિલ્લાવિસેન્સિયો વચ્ચે ઉડી રહ્યું હતું ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું. છેલ્લે મળતી માહિતી મુજબ આ મામલે હજુ કોઈ અધિકારીએ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરી નથી. 


વિદેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...