બગદાદઃ ઇરાકની રાજધાની બગદાદ (Baghdad) માં ગુરૂવારે આત્મઘાતી હુમલો થયો જેમાં 20થી વધુ લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, અહીં બે વિસ્ફોટ થયા છે, ઈજાગ્રસ્તોમાં ઘણાની સ્થિતિ ગંભીર છે. બગદાદના તાયારાન સ્ક્વેયરમાં વિસ્ફોટનો અવાજ સાંભળવા મળ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાલ આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. રાજધાનીમાં વિસ્ફોટની ઘટનાઓ ખુબ ઓછી થાય છે. આ પહેલા બગદાદમાં 2017ની જાન્યુઆરીમાં હુમલો થયો હતો ત્યારે તાયારન સ્ક્વેયર પર 27 લોકોના મોત થયા હતા. 


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube