ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસ (corona virus) દુનિયાભરમાં કહેર વર્તાવી રહ્યો છે. પરંતુ સિંગાપોર (Singapore) તેને ફેલાવાથી રોકવામાં સફળ થયું છે. સિંગાપુર દ્વારા અપનાવવામાં આવેલ મોડલના દુનિયાભરમાં વખાણના દુનિયાભરમાં વખાણ થઈ રહ્યાં છે. ચીનમાં કોરોના વાયરસના પગપેસારો કર્યાના બે મહિના બાદ કોઈ દેશમાં સૌથી વધુ અસર થઈ હોય તો તે સિંગાપુર દેશ હતો. જ્યાં ફેબ્રુઆરી મહિનાના મધ્ય સુધી તેના સંક્રમણના 80 કિસ્સા સામે આવ્યા હતા. પરંતુ, સિંગાપુરે તેને રોકવા માટે એક એવુ મોડિકલ વિકસાવ્યું, જે વાયરસને પ્રસરતુ રોકવામાં બહુ જ સફળ રહ્યું.


જેતપુર : લોકડાઉનમાં ધમધમતા હતા કાપડના 3 કારખાના, રાતના અંધારામાં લેવાઈ રહ્યું હતું કામ


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ જ કારણ છે કે, સિંગાપુરમાં કોરોના વાયરસથી એક પણ વ્યક્તિનું મોત નિપજ્યું નથી. વિશ્વવ્યાપી મહામારીથી પહોંચી વળવા માટે સિંગાપુરની વ્યવસ્થાના વખાણ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પણ કરી હતી.


Coronavirus Live: દેશમાં કોરોનાથી 10મું મોત, કુલ દર્દીઓ 536


સિંગાપુરમાં કોરોના વાયરસના પ્રસાર પર લગામ રાખવા માટે એકસાથે અનેક પગલા લીધા છે. જેમ કે, સંક્રમિત લોકો અને તેમના પરિવારોને ક્વોરેન્ટાઈન કરવાની સાથે સાથે કાર્યસ્થળથી અંતર બનાવવું, સ્કૂલ-કોલેજમાં તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રતિબંધ મૂકાયો હતો. સિંગાપુરમાં આ પગલાથી સાર્સ-કોવિડ-2 એટલે કે કોરોના વાયરસના સંક્રમણથી થતી બીમારીઓથી પીડાતા લોકોની સંખ્યા ઓછી કરવામાં મદદ મળી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર